SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ રંગ “અન્તમાં મુનિસમેલનના કાર્યકર્તાઓને સુચવવું વધારે ઉપયુકત સમજું છું, કે જે મુનિસમેલનને ખરેખર સફળ જ બનાવવું છે, શાસનની સાચી ભાવનાથી મુનિસંમેલન ભરવામાં આવે છે અને તેના નિમિત્તે થનારા લાખ બે લાખ રૂપિયાની કંઈકે સફળતા જેવા સૌની ઈચ્છા છે કે, મુનિસંમેલનની તારીખની લગભગ એક મહિના પહેલાં ગમે તેમ પ્રયત્ન કરી સારી રીતે સમજાવી ખાસ ખાસ આચાર્યો અને જરૂરી સાધુઓને એકદમ અમદાવાદ બોલાવવા. દાખલા તરિકે વિજયનેમિસુરિ, સાગરાનંદસૂરિ, વિજયલબ્ધિસૂરિ, વિજયવલ્લભસૂરિ, વિજયદાનસુરિ (અથવા એમના પ્રતિનિધિ રામવિજયજી) શ્રી વિજયેંદ્રસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ તેમ ખરતરગચ્છ અને અંચલગચ્છ તેમ પાયચંદગચ્છના પણ આગેવાન આચાર્ય કે સાધુઓ એક મહિના પહેલાં આવી અમદાવાદમાં એમની પ્રાઈવેટ મીટીંગ મેળવે. આ પરિષદની અંદર જેમને જેમને મતભેદ હોય તેનું નિરાકરણ કરી નાખે. દાખલા તરીકે સાગરજી અને રામવિજયજી દીક્ષા અને ત્રીજ-થ સંબંધીને પિતાને મતભેદ ટાળી નાખે વિજયવલ્લભસૂરિ અને વિજયલબ્ધિસૂરિ પાટણની સંધસત્તાને તેમજ પંચાંગી કેને કહેવી એ અને એવી બીજી કોઈ બાબતનો ફેંસલો કરવાનો હોય તે કરી નાખે. આમ જે જે બાબત સંબંધી મુનિ– સંમેલન સંબંધી ભય રખાય છે, એના ફેંસલા આમ ખાનગી મિટીંગમાં થઈ ગયા પછી તે જ કમીટી તરફથી મુનિસંમેલનના જાહેર મેળાવડા સંબંધી પ્રમુખ, વિષય બોલનારા, ગૃહસ્થની ઉપસ્થિતિ, અનુપસ્થિતિ વગેરે બાબતોને નિર્ણય કરી તે બધા મહાત્માઓની સહીથી એક સરકયુલર બહાર પાડી દેવામાં આવે, એટલે તે પછી મુનિસંમેલન માટે કેઈને પણ ભય કે શંકાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy