________________
કાર્યવાહી મળી, ત્યારે શ્રી વિજયદાનસુરિજી ચુપ રહ્યા હતા; પણ શ્રી વિજયસિદ્ધિસૂરિજી મોખરે આવ્યા હતા અને એમની ખાસ ઢબે “મારું ઘરડાંનું માન રાખીને આમાં તે આટલે ફેરફાર કરે” વગેરે બોલવા લાગ્યા હતા અને છેવટે દેવદ્રવ્યના પ્રશ્ન ઉપર આવી મુસ્તાક થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “સ્વપનાંની બેલીના ઘીને પ્રશ્ન જે શ્રાવકસંઘની મુનસફી ઉપર છોડી દીધો છે તે ઠીક નથી. એને દેવદ્રવ્ય કરાવે તે જ કામ આગળ ચાલી શકશે.”
શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે હું તે સ્વપ્નાની બેલીને દેવદ્રવ્યમાં લઈ જઉં છું. મારું ચાલશે ત્યાં લઈ જઈશ અને આમને (શ્રી વિજયવલ્લભસૂરિને) પણ સમજાવી શકીશ પણ આ બંનેને (ભૂપેન્દ્રસુરિજી અને સાગરચંદ્રજીને) તમે સમજાવે.
શ્રી સાગરચંદ્રજીએ પડકાર કર્યો કે “તમારી વાત બીલકુલ ઠીક નથી. સ્વમાની બેલીનું ઘી તે સાધારણમાં જ જાય. તમે સ્વમાની વાત માં શાસ્ત્રમાંથી લાવ્યા છે, એ તે બતાવો ? નવી નવી વાતે ઊભી કરીને એને તમારી જ ઈચ્છામાં આવે એવું રૂપ આપી દે છે, તે નહિ બને, વગેરે..”
આ ગરમ ચર્ચાની અધવચમાં જ શ્રી વિજયસિદ્ધિસૂરિજી અને શ્રી વિજયદાનસૂરિજી ઊભા થયા અને જણાવી દીધું કે હવે અમે આ સમિતિમાં આવવાના નથી. અને જે જરૂર હશે તો પ્રતિનિધિ મેકલીશું. આ પ્રમાણે બેલી તેઓ ચાલતા થયા.
શ્રી વિજયનેમિસૂરિજી આદિ બાકીના સાત સભ્યોએ આથી સર્વમંગલમાંગલ્ય બોલાવી બેઠક ખતમ કરી.
એ વખતે શ્રી નગરશેઠે જણાવ્યું કે હજી આપ ૨૪ ક્લાક માટે થોભી જાવ, હું તેમને સમજાવીશ અને શ્રી
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org