________________
કાર્યવાહી - લાવણ્યવિજ્યજી–સિદ્ધ કરશે કે ? અને નામો આપે કે ક્યા ક્યા આચાર્યોએ ઝઘડા કર્યા છે?
માણેકમુનિજી–ના, અત્યારે વખત નથી. - વિદ્યાવિજયજી આપણે કાલે એવો નિર્ણય કર્યો હતો કે દરેક ગ્રુપમાંથી પાંચ પાંચ લેવા. ગમે તેમ કરી કામ કરવું. નહિ તો આજનો દિવસ પણ ખતમ થશે. - હરિજી–જેમાં બે સાધુ છે, તેમાંથી પણ એક અને ૬૦ સાધુ છે તેમાંથી પણ એક લે એ અન્યાય કહેવાય ને?
- નંદનસૂરિજી–એક એક દિશાના પાંચ પાંચ અને બીજા વિચારકે બે બે લેવા. તે સિવાય ગચ્છના જુદા જુદા.
માણિક્યસિંહસૂરિજી આપણે આને નિષેધ કરીએ છીએ પણ બહાર હાંસી થાય છે, નિંદા થાય છે.
પં.રામવિજ્યજી–નિષેધ કરે છે કેણ ? અમને મંજુર છે. વિદ્યાવિજયછ– તે પછી અમે ક્યાં મનાઈ કરીએ છીએ. પં. રામવિજ્યજી–આચાર્યો ને વિચારકે લખાવી લે.
વિદ્યાવિજયજી–આચાર્યોની કયાં વાત છે? દરેક ગ્રુપમાંથી પાંચ પાંચ લે.
પં. રામવિજયજી—એમ કહો ત્યારે. નંદસૂરિજી–અમારી તરફથી મંજુર છે,
(તેજ વખતે ત્રણે દિશામાંથી અવાજ થયો કે અમને પણ મંજુર છે, ત્યાર પછી નામ લખાવા માંડ્યા. પરંતુ એ જ વખતે ગ૭ અને ગચ્છાન્તરના મતને પ્રશ્ન ઊભો થે.) ત્રણ ગ્રુપમાંથી ચાર કયાંથી?
માણિક્યસિંહસૂરિજી–ગઈ કાલે ત્રણ ગ્રુપ હતા. આજે ચોથે ચુપ કયાંથી થયે ?
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org