SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહિનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યાર બાદ અનુપચંદભાઈના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યું એ વ્યાજબી છે, એઓના વચન પ્રમાણે બને તો સારું છે અને એઓનું વચન કબૂલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યોના સમુદાયમાં આ બાબત લખી તેમનો અભિપ્રાય મંગાવ્યો. તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સંમતિ આપી. તેમની સંમતિ આવ્યા બાદ બીજા સાધુઓ તથા શ્રાવકોને કાગળ લખી તેમને પૂછ્યું. તે લોકો જવાબ લખે પ્રમાણે કરવાનો ઘણાનો વિચાર આવ્યો. વળી કેટલાક અમદાવાદના ભાઈઓ અને કેટલાક સાધુઓનો વિચાર મલતો નહિ. તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી સિદ્ધિસૂરિજી છાણી ચોમાસું રહ્યા હતા. તેમની પાસે સુરત-અમદાવાદ વગેરે ગામોના કેટલાક ભાઈઓ આવ્યા હતા. ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા, તેઆએ એ બાબતમાં સેનપ્રશ્ન હીરપ્રસ્ત વગેરેના પુરાવા આપી તેઓનું સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સંમત થયા. આવી રીતે આખા હિંદુસ્તાનમાં રૂબરૂમાં વા કાગલની લખાપટીથી સમાધાની કરી એકત્ર કરી. એ પ્રમાણે આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મંજૂર કર્યું, ફક્ત પેટલાદમાં જુદા જુદા માણસોના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું. બાકી બધે એકત્ર થયું હતું. આ એઓની ગુરુભક્તિ જણાય છે. (પ્રશ્નોત્તર રત્નચિંતામણિ પેજ-૧૦-૨૦) (વિ.સં. ૧૯૫રમાં સાગરજી મહારાજશ્રીએ સર્વ પ્રથમ સકલ સંઘની વિરુદ્ધ જઈને જુદી સંવત્સરી કરીને શ્રી સંઘમાં ભાગલા પાડેલા.). પરિશિષ્ટ-૬ પરિશિષ્ટ : ૬ માં જેઓ ડહેલાની પોળના ઉપાશ્રયની પરંપરાના નામનું નવું તૂત ઉભું કરી – “પર્વતથિઓના ક્ષયવૃદ્ધિ હોતા નથી ને તે કારણે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિમાં કે ક્ષયમાં સંવત્સરી જેવા મહાપર્વની વિરાધના કરવો’ – જે વર્ગ આજે પ્રચાર કરી રહેલ છે, તેને ડહેલાની પરંપરાના સમર્થ મહાપુરુષનો પોતાનો અભિપ્રાય જાણવા સમજવા માટે અક્ષરશ: અત્રે પ્રસિદ્ધ કરેલ છે. તેમાં તેઓશ્રીએ પત્રના છેલ્લા ભાગમાં એમ જાવેલ છે કે, ચોમાસની પૂનમ જેનને ટીયો કદિ ઘટે નહિ, તિર્યું હોય તિથિ બડી રાખણી તિરસ્યું તેમ જ જૈનને ટીયો ઘટે છે તે જાજો.” ૮ અ -- પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy