SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિ વિષયક ઐતિહાસિક અને શાસ્ત્રીય ભૂમિકા : પ્રવચનકાર : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (કાંચન કસોટીને આવકારે છે. કથીરની એ હિંમત નથી. સત્યના આગ્રહી અને કદાગ્રહીની વચ્ચે આવો જ તફાવત છે. સત્યનો આગ્રહી પોતાના મતની યોગ્ય રીતની પરીક્ષા માટે સદા તત્પર હોય છે. કદાગ્રહી પરીક્ષા માત્રને પાખંડ ગણે છે. વિ. સં. ૧૯૯૯ની સાલમાં લવાદ સમક્ષ ખૂબ જ સબળ અને સફળ રીતે શાસ્ત્રીય સત્ય પોતાને પક્ષે હોવાનું પૂરવાર થઈ ગયું હોવા છતાં, વિ. સં. ૨૦૦૭માં, ન્યાયાંભોનિધિ પૂજ્યપાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના ગુણાનુવાદનો પ્રસંગ પામીને, અમદાવાદમાં પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તિથિ અંગે, કોઈ પણ યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ સાથે, ગમે ત્યારે પણ પોતાની ચર્ચા-વિચારણા કરવાની તત્પરતા જાહેર કરી હતી. તિથિ વિષયક વિવાદની ઐતિહાસિક અને શાસ્ત્રીય ભૂમિકા સમજાવવા સાથે એના ઉકેલ માટેના વ્યવહારુ ઉપાયો પણ તેઓ શ્રીમદે પોતાના સંપૂર્ણ સહકારની ખાતરી આપવાપૂર્વક દર્શાવ્યા હતા. પૂજ્યશ્રીના તે મનનીય પ્રવચનના સારભૂત અવતરણમાંથી તિથિ પ્રશ્ને સ્પર્શતું વક્તવ્ય શ્રી ‘જૈન પ્રવચન'ના સૌજન્યથી અત્રે પ્રગટ કરવામાં આવે છે. – સં.) પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ Jain Education International For Private & Personal Use Only ૩૩ www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy