SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજાને ઓળખવા જેવા છે. જગદ્ગુરુશ્રી હીરસૂરિજી મહારાજના એ મોટા ગુરુભાઈ થાય. વિદ્વાન ઘણા, પણ સ્વભાવે કડક હતા. તેથી પૂ. આ. મ. શ્રી દાનસૂરિજી મહારાજે તેમની પાટે શ્રી હીરસૂરિજી મ.ને સ્થાપ્યા. આ પણ ગુણવાન એવા કે પોતે મોટા છતાં પૂ. આ. મ. શ્રી હીરસૂરિજી મ.ને ‘પરમગુરુ’ તરીકે લખતા, એટલું જ નહીં પણ પૂ. આ. મ. શ્રી હીરસૂરિજી મહારાજની પાટે આવેલા શ્રી સેનસૂરિજી મ.ને પણ તેઓ ‘પરમગુરુ’ તરીકે લખતા. આવા એ પૂ. ધર્મસાગરજી મ.ને કોઈક વખતે તેમણે કરેલા અમુક લખાણને કારણે પૂ. આ. શ્રી હીરસૂરિજી મહારાજે ગચ્છ બહાર કર્યા. તે સમયે સંઘ પણ આજ્ઞાનુસારી, તેથી સ્થિતિ એવી થઈ કે તેમને તપગચ્છમાંથી ગોચરી મળવી પણ દુર્લભ થઈ. એટલે તેમણે ખરતરગચ્છનો આશ્રય લીધો. વિદ્વાન હોવાથી ખરતરગચ્છના આચાર્યો ખુશ થઈ તેમને વધાવી લીધા-ગોચરી કરવા સાથે બેસાડ્યા અને કહ્યું કે, “જુઓ ! તમારા આચાર્યો તો એકાંતમાં બેસીને ગોચરી કરે છે. જ્યારે અમે તો બધાની સાથે માંડલીમાં બેસીને ગોચરી કરીએ છીએ.” ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે “અમારા આચાર્યોની પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી છે. જ્યારે તમારી પ્રવૃત્તિ તો અશાસ્ત્રીય છે” અને તે અંગે તેમણે ત્યારે જ તે ખરતરગચ્છના આચાર્ય સાથે શાસ્ત્રોની ચર્ચા કરીને તપગચ્છના આચાર્યોની પ્રવૃત્તિને શાસ્ત્રીય સિદ્ધ કરી. આ વાત હીરસૂરિજી મહારાજ પાસે પહોંચી ત્યારે, તેમણે તેમને પાછા તપગચ્છમાં સન્માનપૂર્વક લઈ લીધા. આવા એ ઉપાધ્યાયજી મહારાજે ‘શ્રી પ્રવચન પરીક્ષા' ગ્રંથમાં તિથિની વાત કડીબદ્ધ રજુ કરી છે. શ્રી સાગરજી મહારાજ આ ગ્રંથ છપાવી રહ્યા હતા, તે વખતે (સં. ૧૯૯૧માં) એ ગ્રંથની છાયામાં આવી, તેમના ‘શ્રી સિદ્ધચક્ર પાક્ષિક'માં તિથિ અંગે સઘળી શાસ્ત્રીય વાતો તેમણે પોતે જ લખેલી છે. તે મુજબ વર્તવામાં આવે તો આજે જ બધો વિવાદ શમી જાય. પાલીતાણામાં મેં તેમને શું કહ્યું હતું ? સં. ૧૯૯૮માં હું પાલીતાણા ગયો. તેઓશ્રી ત્યાં જ હતા. અમે ભેગા થયા. સાથે બેસી ચર્ચા કરવાનું નક્કી કર્યું. હું પ્રશ્ન કરું, તેઓ ઉત્તર આપે, આ રીતે લેખિત ચર્ચા થતી. તેર દિવસ ચર્ચા ચાલી-પછી તેમણે મને પૂછ્યું કે, “હજુ તારે ક્યાં સુધી પ્રશ્નો કરવાના છે ?” મેં કહ્યું કે, ‘આપ મને સીધા ઉત્તરો ન પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy