SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) જે પરંપરાનું મૂળ “સાતિશાયી' પુરુષ ન હોય, તેને વસ્તુતઃ પરંપરાગત તરીકે કહી શકાય નહિ. (સાતિશાયી – યુગપ્રધાન કે તેથી વધુ પદવાળા) (૭) વ્યુતવ્યવહારી કોઈપણ આચરણા શ્રુતનું ઉલ્લંઘન કરી ને કરી શકે જ નહિ. વળી કહ્યું છે કે ....... आकल्पव्यवहारार्थं, श्रुतं न व्यवहारकम् । इति वक्तुमर्हत्तन्त्रे, प्रायश्चितं प्रदर्शितम् ॥ | | પંaqમાષ્ય છે. - પાંચમા આરાના છેડા સુધી શાસનનો વ્યવહાર ચલાવવા માટે “શ્રુત’ એ ઉપયોગી નથી, એમ બોલવાવાળાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. (૮) જેને માટે શ્રુતની પ્રાપ્તિ હોય, તેને માટે જીતની પ્રધાનતા હોઈ શકે નહિ. (૯) જે આચરણા આગમથી વિરુદ્ધ હોય, એ કારણે સાવદ્ય તથા અશુદ્ધિકર હોય, તે આચરણાનો સ્વીકાર થઈ શકે જ નહિ, પણ તેવી આચરણાનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ જ કરવો જોઈએ. ટૂકમાં સંવિગ્ન, ગીતાર્થ, અશઠ પુરુષ પ્રર્વતાવેલી નિરવધ પ્રવૃત્તિ, કે જે તત્કાલીન ગીતાર્થોએ નિષેધેલી ન હોય તથા તત્કાલીન બહુશ્રુતોએ બહુમાન કરેલી હોય તેવી આગમથી અવિરુદ્ધ પ્રવૃત્તિને જ જીતવ્યવહાર કહી શકાય છે. તદુપરાંત જેમાં શાસ્ત્રવચન મળતું હોય, તેમાં શાસ્ત્રવચનથી ભિન્ન પ્રવૃત્તિ કરવાનું કારણ નથી. છતાં પણ કોઈ શાસ્ત્રવચનની ઉપેક્ષા કરી આચરણા ચાલું કરે, તો તે છતવ્યવહાર બની શકે જ નહિ. શાસ્ત્રવિરૂદ્ધ તિથિપ્રવૃત્તિને જીતવ્યવહાર ન કહેવાય તેનાં કારણો એકતિથિપક્ષ પ્રસ્તુત તિથિરિન અને પર્વારાધનના વિચારભેદના વિષયમાં જે પ્રવૃત્તિને વાસ્તવિક સ્વરૂપની આચરણા તરીકે જણાવે છે, તે પ્રવૃત્તિને કોઈપણ સમજુ વ્યક્તિ વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી કે માની શકે તેમ છે જ નહિ. તેનાં કેટલાંક કારણોનો નીચે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે. (૧) આચરણના વિષયમાં સર્વથી પ્રધાન વસ્તુ આગમ-અવિરુદ્ધતા છે. શાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિને વસ્તુતઃ આચરણાનું એક પણ લક્ષણ ઘટી શકે નહિ. પરંતુ ક્ષણભરને માટે એવી કલ્પના કરી લેવામાં આવે કે – શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને બીજા Jain Education International ( ૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy