SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : નપુંસક વ્યક્તિ પ્રજા ઉત્પન્ન કરવામાં અસમર્થ હોવા માત્રથી સર્વકાર્યોમાં અસમર્થ નથી જ, તેવી રીતે અધિક માસ પણ સર્વત્ર અપ્રમાણ નથી. પરંતુ જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિદેશ કર્યો હોય, તે કાર્ય તો તે જ માસમાં કરવું જોઈએ, બીજા માસમાં નહિ. એવી વિવેક્ષાથી તિથિની જેમ ચૂનાધિક માસ હોય તો તે પણ ઉપેક્ષણીય છે. બીજે સ્થળે તેની ગણત્રી થાય પણ છે. તે આ પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસના દિવસે નિયત છે, તે ચૌદસની જ્યારે વૃદ્ધિ થાય છે, ત્યારે પહેલી ચૌદસને ત્યજીને બીજી ચૌદસને ગ્રહણ કરવી, દિવસની ગણત્રીમાં તો ચૌદસ કે અન્ય તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે (ચૌદસાદિનો)ક્ષય થયે છતે ચૌદ દિવસ પંદર જ જાણવા. તેમ અહીં પણ જાણવું. ટીપ્પણી : (૧) આ ગ્રંથમાં પણ ચૌદસની વૃદ્ધિ યથાવત્ માન્ય રાખી બીજી ચૌદસે આરાધના કરવાનું સૂચન કર્યું છે. તે પ્રધાષના વચનાનુસાર છે, કે જે આજે બેતિથિપક્ષ માને છે? (૨) જેમ નંપુસક પ્રજોત્પત્તિ સિવાયના કાર્યમાં અસમર્થ નથી. તેમ અધિક માસ પણ અપ્રમાણ નથી. તેથી જ તેમાં નિયતરીતે જોડાયેલી પાક્ષિક પ્રતિક્રમણની આરાધના કરાય છે. કહેવાનો આશય એ છે કે જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિર્દેશ હોય તે કાર્ય તે જ માસમાં કરવું અને માસની વૃદ્ધિ હોય તો બીજા માસમાં કરવું આથી બે ભાદરવા હોય તો ભાદરવા માસ સાથે જોડાયેલી સંવત્સરીની આરાધના બીજા માસમાં જ કરાય. પરંતુ જે કાર્ય માસના નિર્દેશપૂર્વક શાસ્ત્રોમાં વિહિત નથી, પરંતુ નિયત આવશ્યક કર્તવ્ય તરીકે સૂચિત છે, તે કાર્ય માટે (માસની વૃદ્ધિ હોય ત્યારે) અપ્રમાણ નથી. અર્થાત્ ચૌદસની આરાધના માસના નામનિર્દેશપૂર્વક નથી. પરંતુ દર પંદર દિવસે પાક્ષિક આલોચના માટે નિયત કરેલી પ્રાયશ્ચિતરૂપ આરાધના છે. તેથી અધિકમાસમાં આવતી બંને ચૌદસે પખિ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું રહે છે. આથી જ ૨૭ પૃષ્ઠીય પત્રિકાકારના પૃ. ૨૦ ઉપરના છતાં (બે ચૌદસ આપણાં પંચાંગમાં લખવાની જ છે, એવો) જે તમે આગ્રહ પકડી રાખો તો અમારો પણ તમને સવાલ છે કે જેમ બે ચૌદસ તમારા પંચાંગમાં રાખીને પહેલી ચૌદસે આરાધના નથી કરતાં તેમ પહેલા ભાદરવામાં પણ સુદ પાંચમ આઠમ ચૌદસ વગેરેમાં જ્ઞાનપંચમી તપનો ઉપવાસ પ્રતિક્રમણ વગેરે આરાધના નહિ કરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy