SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) શાશ્ત્રકાર પરમર્ષિએ મતિકલ્પનાથી ક્ષય-વૃદ્ધિ તિથિઓની ન્યૂનાધિકતા કરવાનો નિષેધ કરી પ્રઘોષના કથનાનુસાર વર્તવા ભલામણ કરી છે. (૪) અગત્યના ખુલાસારૂપે શાશ્ત્રકારશ્રીએ કહ્યું કે.... આગમથી અવિરુદ્ધ આચાર્ય પરંપરા જ પ્રમાણભૂત છે. ‘જ’ કાર સૂચક ‘એવ’ કાર મૂકીને આગમથી વિરુદ્ધ પરંપરાનો વ્યવચ્છદે કર્યો છે. અનાદેયતા સૂચવી છે. (૫) ક્ષીણ ચઉદસ તેરસયુક્ત લેવી દોષકારક નથી. આ વિધાન કરી શાશ્ત્રકાર પરમર્ષિએ બે અગત્યના ખુલાસા કર્યાં છે (અ) ચૌદસના ક્ષયે ચૌદસની આરાધના પૂર્વની તિથિ તેરસમાં કરવી. અને તેરસ -ચૌદસ ભેગા માનવા-લખવા દોષરૂપ નથી. તથા (બ) ચૌદસના ક્ષયે તેરસનો ક્ષય ન થાય. ચૌદસનો ક્ષય માન્ય રાખી ચૌદસની આરાધના પ્રધોષના વચનાનુસાર તેરસના રોજ કરવી. (૬) વૃદ્ધિતિથિમાં બીજી તિથિ જ પ્રમાણભૂત છે. કારણ કે તિથિની સમાપ્તિ બીજા દિવસે થાય છે. અર્થાત્ જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ’-આ વચનથી પર્વાપર્વ તિથિની વૃદ્ધિમાં તિથિની સમાપ્તિ જે બીજા દિવસે થાય છે, તે ઉત્તરતિથિ જ આરાધના માટે પ્રમાણભૂત માનવી. (૭) ઉપરોક્ત શાસ્ત્રવચનથી સ્વયમેવ સિદ્ધ થાય છે કે પર્વતિથિની પણ ક્ષય વૃદ્ધિ થાય છે. તથા શાસ્ત્રકાર પરમર્ષિએ લૌકિક પંચાંગગત પર્વાપર્વ તિથિની ક્ષય વૃદ્ધિને યથાવત્ માન્ય રાખી છે. અને તેવા સમયે ઉપસ્થિત થતી શંકાઓનું સમાધાન આપી ભવ્યાત્માઓને માર્ગદર્શન પુરૂં પાડયું છે. ૯) શ્રીકલ્પસૂત્ર – કિરણાવલી વૃત્તિ : (કર્તા: પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ. રચના સંવત : ૧૬૫૮ છપાવનાર : શ્રી આત્માનંદ સભા, ભાવનગર) नहि नपुंसकोऽपि स्वायत्योत्पत्ति प्रत्यकिंचित्करः सन् सर्वकार्यं प्रत्यकिंचित्कर एव, तद्वदधिकमासोऽपि न सर्वत्र प्रमाणं किन्तु यत्कृत्यं प्रति या मासो नामग्राहं नियतस्तत् कृत्यं तस्मिन्नेव मासि विधेयम् नान्यत्रेति विवक्षया तिथिरिव न्यूनाधिकमासोप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि तथाहि विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं सा च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्त्तव्या दिनगणनायां त्वस्या अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडशदिना: पंचदशैव गण्यन्ते एवं क्षीणायां चतुर्दशापि दिना: पंचदशैवेति નોધ્યમ્ તદ્ભવત્રાપિ (પૃ. ૬૬૮) Jain Education International ૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy