SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૪ (પરિશિષ્ટ-૧ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાનાં તિથિ અંગે મંતવ્યો ૧) જીવાભિગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે જણાવેલી હોવાથી સંવત્સરીના દિવસને આશ્રયીને જ આઠ દિવસોના પર્યુષણા નિયત થયા છે. અને તેથી જ શ્રાવણ વદિ-૧૨ બારસથી સામાન્ય રીતે પ્રારંભ થાય છે. (સિદ્ધચક્ર વર્ષ-૨ અંક-૨૨) ૨) ચોથથી માંડીને જે પાછલી (આગળની) બારસ સુધીમાં કોઈપણ તિથિની વૃદ્ધિ હોય તો તેરસથી પ્રયુષણાની શરૂઆત કરવી પડે છે. અને કોઈપણ તિથિની હાનિ હોય તો અગિયારસથી જ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. પાક્ષિક-ચોમાસી અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદસ અને ચોથ છે તે પલટે જ નહિ. (સિદ્ધચક્ર વિ.સં. ૧૯૯૨ અંક ૧૯-૨૦, પૃ. ૪૫૪). નોંધ : આ ઉપરોક્ત કથનનો સાર એ નીકળે છે કે ભાદરવા સુદ-૪ પછી સુદ૫ ની ક્ષય-વૃદ્ધિ ભલે હોય, છતાં બારસની તિથિથી ચોથ સુધીમાં જો કોઈ તિથિની હાનિ-વૃદ્ધિ ન હોય તો કશો જ ફેરફાર પ્રત્યુષણા પર્વમાં થાય જ નહિ.) જ્યોતિષ કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વ તિથિઓનો ક્ષય હોય નહિ. કેમકે તેમાં અવરાત્રી એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે જણાવી છે. વળી જે પર્વતિથિનો ક્ષય ન થતો હોય તો ક્ષયે પૂર્વાતિથિ કાર્યા' એવો શ્રી ઉમાસ્વાતિ(જી) નો પ્રઘોષ પણ હોત નહિ. (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૪, પૃષ્ઠ ૯૪). ૪) શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકીર્ણને અનુસારે સાફ સાફ જણાય છે કે, બીજ પાંચમ આદિ પર્વ તિથિઓનો ક્ષય હોઈ શકે છે. પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. (સિદ્ધચક્ર : વર્ષ-૧, અંક-૧) ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy