SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવટી ચિંતનમાં અજાણતાં લખાઈ ગયેલી કેટલીક સત્ય વાતો (૧) ભાવના સંરક્ષણ અને સંવર્ધન માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. (૨) તિથિ’ નો સમાવેશ કાળમાં થાય. ભાવના ઉભવન-સંરક્ષણ અને સંવર્ધન માટે આ દ્રવ્ય-ક્ષેત્ર-કાલની મર્યાદાઓ જાળવવી અત્યંત આવશ્યક છે અને એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. (૩) ૧૯૯૩ ની સાલ આવી અને સમગ્ર શ્રી જૈન સંઘના આચાર્યોની સંમતિ વિના એ પરંપરા તોડવામાં આવી. અલબત્ત જે નવી પદ્ધતિ શરૂ થઈ તે સિદ્ધાંત સંમત હતી. (૪) તમારી વાત પણ વિચારણીય છે. સામા પક્ષની સમાધાન માટેની તૈયારી ન હોય તે પણ સમજાય તેવી વાત છે. પરંતુ એ સમાધાન માટે તૈયાર ન થતા હોય તેની પાછળ કયા કયા હેતુઓ પડેલા છે તે વિચારવું જોઈએ. અને એમની જેમ આપણે પણ સમાધાનની તૈયારી ન બતાવીએ તો સમગ્ર શ્રીસંઘની શું સ્થિતિ સર્જાય તે વિચારવું જોઈએ. નોંધ : ચિંતનની પત્રિકા હાથોહાથ ફેરવનાર તે વર્ગ શું જાહેરમાં પાટ ઉપરથી ઉપરના મુદ્દાઓ કબૂલ રાખશે ખરા ? એટલી પ્રમાણિકતા અને નિષ્ઠાની અપેક્ષા તો રાખી શકાય ને ? આમ એક જ વર્ગ તરફથી પ્રગટ થયેલા ત્રણ સાહિત્યો અંગે વિચારણા કરી. તિથિના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ તિથિદિન અને પર્વારાધન તથા અહં તિથિ ભાસ્કર’ પુસ્તક વાંચી જવા ભલામણ. પાછળ આપેલા પરિશિષ્ટો પણ જોવા ભલામણ. અંતે સૌ કોઈ તિથિના વિષયમાં સત્ય સમજી ચાલુ વર્ષની સંવત્સરીની આરાધના શાસ્ત્રાનુસાર કરી, પોતાના આત્માની મુક્તિ નિકટ બનાવે એ જ સદાને સદા માટેની શુભાભિલાષા. Jain Education International ૪૦ For Private & Personal Use Only Jain Education International For Private Personal use only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy