SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાણ 3 ‘પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરિ મ. નું વિશિષ્ટ ચિંતન' નામના હેડીંગવાળી પત્રિકાના પ્રકાશને પોતાના કાલ્પનિક ચિંતન દ્વારા જૈન શાસનમાં ઉભી કરેલી ચિંતા કેટલાક સમયથી સત્યપક્ષનો ત્યાગ કરી અસત્યમાર્ગનો સ્વીકાર કરનારા વર્ગ તરફથી પોતાના અસત્યમાર્ગને અપવાદમાર્ગરૂપ વિહિતમાર્ગ તરીકે સિદ્ધિ કરવા માટે પૂ. આ. ભ. શ્રી. વિ. પ્રેમસૂરિ મ. ના ચિંતનના નામે પોતે જ તૈયાર કરેલું) એક લખાણ છેલ્લા થોડા સમયથી ઝેરોક્ષરૂપે એક-બીજા હાથો દ્વારા ચારે બાજું ફરી રહ્યું છે. પોતાના ચિંતનનો પરમારાધ્યાપાદ પરમગુરુદેવશ્રીના નામે ચઢાવનાર તે વર્ગને પહેલો પ્રશ્ન એ છે કે પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા તિથિના વિષયમાં ચિંતનમાં જણાવેલી વાતો પ્રમાણે માનતા હતા, તો પછી ૨૦૨૦ ના પટ્ટકમાં સત્ય આ છે અને અપવાદિક આચરણા આ છે, આ બે ભિન્ન વાતોને શા માટે મૂકી? બીજો પ્રશ્ન એ છે કે..... પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. સા. ના કાળધર્મ બાદ સંવત્સરીભેદ ઘણી વખત આવ્યો હતો, તો પછી આટલા વર્ષો પછી આ વર્ષના સંવત્સરી ભેદ વખતે જ તેઓશ્રીનું આ કહેવાતું ચિંતન કેમ પ્રગટ કર્યું ? કે પછી પોતે કરેલી અસત્ય આચરણાની સિદ્ધિ કરવા જ્યારે કોઈ સહારો ન મળ્યો, ત્યારે મહાપુરૂષના નામનો સહારો, ડબતો તરણું પકડે જેવું કર્યું છે? ત્રીજા પ્રશ્ન એ છે કે .. લોકો વારંવાર તિથિ અંગે સત્ય શું છે ? આવા પ્રશ્નો કરી તમને તંગ કરે છે, તેથી જ પોતાની બદલાયેલી માન્યતા ઉપર મહોરછાપ મરાવવા પૂ. આ. ભ. શ્રી ના નામે ચડાવી પોતાનું ચિંતન પ્રગટ કર્યું છે? ચોથો પ્રશ્ન એ છે કે... ભાવના સંરક્ષણ માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ તદ્દન બિનજરૂરી નાના ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy