SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪) ૧૫-૧૬ માં સૈકામાં થયેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ પૂનમની વૃદ્ધિ માન્ય રાખી, બીજી પૂનમે આરાધના કરવાનું ફરમાવતા હોય, ત્યારે તે જ પાટપરંપરામાં થયેલા પૂ. આ. ભ. શ્રી દેવસૂરિ મહારાજ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું કહે ખરા? આવી સ્થિતિમાં પૂ. દેવસૂરિ મ. ના નામે વાત કરનારા સાચા કે ખોટા ? ૧૫) એકતા માટે ઉદયાત્ તિથિને ગૌણ કરવાની વાત ક્યા ગ્રંથમાં છે? એમાંય ઉદયાત્ સંવત્સરી' મહાપર્વતિથિને ગૌણ કરવાની વાત ક્યા ગ્રંથમાં છે ? ૧૬) અસત્યથી સત્ય તરફ લઈ જનારું વચન ભાવથી સત્ય કહેવાય કે સત્યથી અસત્ય તરફ લઈ જતું વચન ભાવથી સત્ય કહેવાય ? ભાવ સત્યની વ્યાખ્યા શાસ્ત્ર પ્રમાણે શું છે ? ૧૭) આપણા આજ સુધી થયેલા મહાપુરૂષોએ એકતાને મહાન માનેલી કે શાસ્ત્રસાપેક્ષ સત્યને ? ૧૮) પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરિ મ. ની તિથિ અંગે શું માન્યતા હતી? ૧૯) ભગવાનના (દીકરી) સાધ્વી મ. જમાલિનો મત છોડ્યો તે વ્યાજબી કર્યું કે ગેરવ્યાજબી કર્યું? તેમાં નિમિત્ત બનેલો કુંભાર અભિનંદન પાત્ર ખરો કે નહિં? ૨૦) આપણા મહાપુરુષોએ શાસ્ત્રીય સત્યને જીવંત રાખવા વાદ-સંઘર્ષો કર્યા છે કે નહિ? તે ઉચિત હતું કે અનુચિત ? તેઓશ્રી આરાધક કે વિરાધક ? આજે તમે પણ તમારી માન્યતાથી વિરૂદ્ધ જતી વાતો માટે યાદ કરી છે કે નહિ ? ૨૧) મુ. બાલચંદ્ર અને પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્રસૂરિ મ. વચ્ચે થયેલો સંઘર્ષ તિથિ અંગેનો હતો કે બીજો ? ૨૨) પૂ. ભદ્રબાહુસ્વામિજીએ વરાહમિહિ સાથે કરેલો વાદ યોગ્ય હતો કે અયોગ્ય? ૨૩) પૂ. પૂર્વાચાર્યોએ કરેલા વિવાદો – સંઘર્ષોથી સંઘમાં ઘણા ભાગલા પડ્યા. નવા નવા મતો ચાલ્યા. તો પૂર્વાચાર્યોએ સંઘની એકતા તોડી કે એ જ સાચી એકતા હતી ? ૨૪) આપણા મહાપુરૂષોએ સ્થાનકવાસ, દિગંબરો સાથે કરેલા સંઘર્ષો અયોગ્ય તો નહોતા ને ? ૨૫) “ઉદયશ્મિ .....” શ્લોકના ઉત્તરાર્ધમાં સૂચિત આજ્ઞાભંગાદિ દોષો કોને લાગે ? ‘ઇઅરીએ કીરમાણીએ' નો અર્થ શું? ૩૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy