SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ ને ? અને છતાં પણ લૌકિક ટીપ્પણું સ્વીકાર્યું છે, તો પછી લૌ. ટી. સામે પ્રશ્નાર્થ ઉભો કરવો તે સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ જેવા આગમોની ટીકા લખનારા અને લોકપ્રકાશની રચના કરનારા સમર્થ મહાપુરૂષો, તેમજ પૂ. કાલિકાલ સર્વજ્ઞશ્રી તથા પૂ. યશોવિજયજી વાચકપ્રવરશ્રી જેવા સમર્થ મહાપુરૂષોએ પણ સ્વયં નવું ટીપ્પણું બનાવવાનો વિચાર શુદ્ધાં પણ ન કર્યો. કારણકે તે શક્ય જ ન હતું. છતાં એવી અશક્ય વસ્તુને શક્ય કરી બતાવવાનો ખોટો દાવો કરવો, તે પૂર્વના ગીતાર્થ મહાપુરૂષોની અવજ્ઞા નથી ? ૮) પૂ. કાલિક સૂરિજી મહારાજાએ સંવત્સરી પાંચમના બદલે ચોથની પ્રવર્તવી હતી, તે ભગવાનના વચન અનુસારે પ્રવર્તાવી હતી કે એકતા માટે પ્રવર્તાવી હતી ? જો એકતા માટે પ્રવર્તાવી હતી, તો છઠ્ઠના દિવસે સંવત્સરી રાખવાથી પણ એકતા તો સધાતી જ હતી, અને ભવિષ્યમાં પાંચમ તથા ત્રણેય ચોમાસી અખંડ રહેતી હતી, તેમ છતાં તેઓશ્રીએ છઠ્ઠ કેમ ન રાખી ? અને ચોથ જ કેમ કરી ? છઠ્ઠ કરવામાં ભગવાનના વચનની સાપેક્ષાતા નહોતી, માટે જ ને ? અને પૂ. કાલિક સૂરિજી મહારાજાએ પ્રવર્તાવેલી ચોથની સંવત્સરી પાંચમા આરાના અંતસુધી રહેવાની જ ને ? તો પછી તે સિદ્ધાંત બન્યો કે નહિ ? વળી એ એકતા કે અનેકતા જૈનોના ક્યા પક્ષમાં હતી – થવાની હતી થઈ ? કે પછી અજૈનો જોડે એકતા થઈ ? જ ૯) ‘ક્ષયે પૂર્વા.’ પ્રઘોષનો અર્થ તમે શું માનો છો ? ૧૦) ‘ક્ષયે પૂર્વાં.’ પ્રઘોષ માત્ર ક્ષય-વૃદ્ધિ પામેલી પર્વતિથિ માટે જ છે કે પર્યાપર્વ તમામ તિથિઓ માટે છે ? તમે તે નિયમ બધી તિથિઓ માટે લગાડો છો કે નહિ ? ૧૧) પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય કે નહિ ? ૧૨) ભાદરવા સુદ-૫ ની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ તથા પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ ક્યા શાસ્ત્રના આધારે માનો છો ? ૧૩) ૧૫-૧૬ માં સૈકામાં થયેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ ચૌદસ આદિ તિથિઓની વૃદ્ધિ સ્વીકારી, બીજી ચૌદસમાં પાક્ષિક કૃત્ય કરવાનું ફરમાવતા હોય, તો તેઓશ્રીની પછી થયેલા પૂ. આ. ભ. શ્રી દેવસૂરિમહારાજ ચૌદસની વૃદ્ધિનો નિષેધ કરે ખરા ? અને કરે તો કેમ કરે ? Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy