SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શાસ્ત્રોમાં પર્વ-અપર્વ કોઈપણ તિથિની વૃદ્ધિ જણાવેલી નથી. (શાસ્ત્રોમાં અતિરાત્રની જે વાત આવે છે, તે દિનવૃદ્ધિને જણાવે છે, તિથિવૃદ્ધિને નહિ. કર્મ સંવત્સર કરતાં સૂર્ય સંવત્સરમાં ૬ દિવસ વધારે હોય છે. એને એ જણાવે છે. છતાં જો આ અતિરાત્ર શબ્દ પકડીને કોઈ તિથિની વૃદ્ધિનું ગાણું ગાયા કરે તો તેને પુછવું કે કઈ કઈ તિથિની વૃદ્ધિ થઈ શકે ? એ શાસ્ત્રપાઠ સાથે જણાવે. તિથિનો ક્ષય પણ અમુક મહિનામાં ન જ આવે, અમુક મહિનામાં જ આવે, તેમાં પણ અમુક તિથિનો જ આવે, દરેક તિથિનો આવી શકે એવું નહી...'' આચાર્યશ્રીને આ વિષયમાં જવાબ એક તિથિપક્ષને માન્ય એવા પૂ.આ. સાગરાનંદ સૂરીજી મહારાજના શબ્દોમાં જ આપીએ. ‘શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રાપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકીર્ણને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ પાંચમ આદિ પર્વતિથિઓના ક્ષય હોઈ શકે છે. પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે.’’ (સિદ્ધચક્ર : વર્ષ-૫ અંક-૧) ‘‘જ્યોતિષ કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ આદિ શાસ્ત્રને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહીં કે જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિઓનો ક્ષય હોય નહિ. કેમકે તેમાં અવમરાત્રી એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે જણાવી છે. વળી જો પર્વ તિથિનો ક્ષય ન થતો હોય તો ‘‘ક્ષયે પૂર્વા તિથિ કાર્યા'' એવો શ્રી ઉમાસ્વાતિજીનો પ્રઘોષ પણ હોત નહિ.'' (સિદ્ધચક્ર : વર્ષ-૪, અંક-૪, પૃ-૯૪) આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીને એટલું જ કહેવું છે કે તેમના વિધાનોને તેમના જ એક તિથિ પક્ષના આઘાચાર્ય શ્રી સાગરનંદસૂરિજીના લેખિત વિધાનો સાથે સ્પષ્ટ વિરોધ આવે છે. તો તેઓ પહેલા એ વિરોધને દૂર કરવાનો પ્રયાસ કરે, પછી બે તિથિવાળાઓને શિખામણ આપવાનું કામ કરે. આમ પર્યાપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ હોઈ શકે છે. માત્ર જૈનગણિત વિચ્છેદ પામ્યું હોવાના કારણે તિથિની ક્ષય-વૃદ્ધિ અંગેની ગણિતબદ્ધ વ્યવસ્થા આજે આપણે જાણી શકતા નથી. તેથી જ આપણા પૂર્વ-ગીતાર્થ મહાપુરુષોએ ભાંગેલા-તૂટેલા જૈનપંચાંગનો આગ્રહ છોડી લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો હતો. આજસુધી થયેલા સમર્થ જ્ઞાનીઓને જૈનટિપ્પણાનો ઉદ્ધાર કરવાનો વિચાર જ પ્રગટયો નથી, તે વિચાર આ મહાનુભાવોને પ્રગટયો છે. તેને વર્તમાન સંઘનું સદ્ભાગ્ય Jain Education International > For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy