SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ * * ૩૬૫ દિવ્યદર્શન તા. ૨૭-૧૨-૬૨, પૃષ્ઠ-૪૦ પર છપાયેલ પૂ. આ. શ્રી. વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના કારતક પૂનમ અંગેનો સત્તાવાર ખુલાસાની અક્ષરશ: નકલ પૂ. આચાર્યદેવશ્રીનો કારતક-૧૫ અંગે ખુલાસો પૂ. સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી શ્રીસંઘને જણાવવાનું કે વિ. સં. ૨૦૧૯ માં કાર્તિક સુદ-૧૫ નો ક્ષય હોવાથી તા. ૧૧-૧૧-૧૯૬૨, રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે, આથી તે દિવસે સવારે કાર્તિકી પૂનમની શ્રી સિદ્ધગિરિજીની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી. કેમ કે પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા. વ. ૧, સોમવારે સવારે ચોમાસુ બદલવાનું રાખવું. દિવ્યદર્શન તા. ૨૦-૬-૧૯૬૪, પૃ. ૨૩૦ પરથી વિ. સં. ૨૦૨૦ ના પટ્ટકની અક્ષરશઃ નકલ તિથિની આરાધનાદિ અંગે પિંડવાડામાં થયેલા પટ્ટકની સત્તાવાર જાહેરાત પિંડવાડા વિ. સં. ૨૦૨૦, પોષ વદ-૫, તા. ૪-૧-૧૯૬૪, શનિવાર, સમય : સાંજે ૪-૪૫ વાગે તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમિ. તથા ક્ષયે પૂર્વા. ના નિયમ અનુસાર તિથિદિન અને અરાધના દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયેલો છે. આમ છતાં પણ અભિયોગાદિ કારણે, અપવાદપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે – ભવિષ્યમાં સકલ શ્રી શ્રમણસંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ ત્યાં સુધી માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રી સંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે થાય. આ એક આપવાદિક આચરણા છે. માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદિ ચોથે શ્રીસંવત્સરી કરવાની છે અને તે જ પ્રમાણે ૧૦૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy