SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આ પટ્ટકની ભાષા વાંચતાં તેઓશ્રીમદ્ભી અત્યંત ભવભીરુતા, સંવિગ્નતા, ગીતાર્થતા કોઈ પણ પ્રકારની જાતપ્રશંસા કે આપબડાઈ કર્યા વિના જ હીરાના તેજની જેમ સ્વયં ઝળકી ઉઠી છે. એમના વિધાનોમાં ક્યાંય સ્વ-પર આત્મવંચનાનો અંશ પણ દેખાતો નથી. આમ હોવા છતાં ગમે તે કારણે આજે “આ માન્યતા ખોટી છે, શાસ્ત્રવિરુદ્ધ છે, ક્લેશકારી છે, સંશૈક્યની ઘાતક છે, જૈન ટીપ્પણાને અનુસારી નથી, એવી એવી વાતોનો પ્રચાર જોરશોરથી થતો દેખાય છે. કેટલાક તો આગળ વધીને તિથિ એ સિદ્ધાંત નથી, તિથિ તો સામાચારી છે, એમાં ગમે ત્યારે ગમે તે રીતના ફેરફારો કરી શકાય, તિથિ નિર્ણય અંગેનાં શાસ્ત્રવચનો એ દ્રવ્યસત્ય છે, (કાલ્પનિક) સંઘ ઐક્ય (=પોતાની સાથે એક આચરણા કરતા વર્ગની ખોટી પણ માન્યતા) એ ભાવ સત્ય છે, આવા (કાલ્પનિક) સંઘ ઐક્યરૂપ ભાવસત્ય (!) ખાતર શાસ્ત્રીય વચનોરપદ્રવ્યસત્ય (!) છોડી શકાય ?” એવી વાતો પણ પ્રચારી રહ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં જેને તિથિના વિષયમાં ભાવસત્ય પામવું છે તેને માટે પૂ. આ. શ્રી. વિ. પ્રેમ સૂ. મ. ના પટ્ટકના આ શબ્દો પરમ આધાર બને તેવા છે. દિવ્યદર્શન વર્ષ -૧૦, અંક-૩૫ શનિવાર, તા. ૨-૬-૧૯૬૨, પૃષ્ઠ-૧ પરથી ઉદ્ધત તિથિ સંબંધિત શ્રી પ્રેમસૂરિ દાદાનું નિવેદન પરમ પૂજ્યપાદ સિદ્ધાન્ત મહોદધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબનું નિવેદન તિથિચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે, તેમાં શંકા જ નથી. પરંતુ સકલ સંઘના ઐક્યની આવશ્યકતા સહુ કોઈ જાણે છે. તેથી કોઈ વખતે કદાચ કાંઈ વિચાર કરવાનો પ્રસંગ ઉભો થાય તો તે વખતે હું આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી સલાહ-સંમતિથી કરવાનો છું. સંવત-૨૦૧૮ ના ચૈત્ર વદ-૫, બુધવાર તા. ૨૫-૪-૧૯૬ર સમય : બપોરે ૨-૩૯ સ્થળ : દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, કાલુપુર, અમદાવાદ – ૧. Jain Education International For Privdo Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy