SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધગિરિજીની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી. કેમ કે – પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા. વ. ૧ સોમવારે, સવારે ચોમાસું બદલવાનું રાખવું. તે મુજબ ચોમાસી ચૌદસ અને કાર્તિકી પૂનમ બંને તિથિઓ સંબંધી આરાધનાઓ એક જ દિવસે કરવાનું જણાવેલ. સવારે કાર્તિકી પૂનમ નિમિત્તક શત્રુજ્ય પટ જુહારવાનું, સાંજે ચોમાસી ચૌદસ નિમિત્તક ચોમાસી પ્રતિક્રમણ કરવાનું અને બીજા દિવસે ચોમાસું બદલવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓશ્રીમદ્ગી તિથિ અંગે શાસ્ત્રીય માન્યતા શું હતી અને એ માન્યતાની સુરક્ષા માટેની ભાવના કેવી હતી તેનો આનાથી શ્રેષ્ઠ ક્યો પુરાવો હોઈ શકે ? ત્યારબાદ વિ. સં. ૨૦૨૦માં પિંડવાડા મુકામે તેઓશ્રીએ તિથિ વિષયક આપવાદિક આચરણાને જાહેર કરતો એક પટ્ટક બનાવ્યો હતો. તેમાં પણ તિથિ અંગે શાસ્ત્રીયસત્ય અને શાસ્ત્રમાન્ય પરંપરા શું છે એનું સ્પષ્ટ અક્ષરોમાં લખાણ છે જેના પર તેઓશ્રીમદ્ગી સહી છે અને તે સમયે સ્વ-સમુદાય અને સ્વ-પક્ષમાં રહેલ સર્વઆચાર્યો તથા પદસ્થાની પણ સહી છે. આ રહ્યા એ પટ્ટકમાં પૂ. આ. શ્રી. પ્રેમસૂરિદાદાની શાસ્ત્રીય માન્યતાને રજૂ કરતા શબ્દો : તિથિરિન અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયમિ’ તથા 'ક્ષયે પૂર્વા.' ના નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. (પહેલો પરિચ્છેદ) પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ આદિ પૂજ્યોએ સહી કરીને માન્ય કરેલ આ પટ્ટકના પહેલા પરિચ્છેદથી નીચે મુજબના મુદ્દાઓ તેઓશ્રીની શાસ્ત્ર માન્યતા રૂપે પ્રસ્થાપિત થાય છે. ૧ – તિથિદિન અને પર્વારાધનની બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગને યથાવત્ માન્ય રાખવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy