SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (પરિશિષ્ટ-૧૨ સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી દાદાનું તિથિ અંગે મંતવ્ય સં. ૨૦૧૮ નું નિવેદન – સં. ૨૦૧૯ નો ખુલાસો – સં. ૨૦૨૦ ના પટ્ટકમાં કરેલા - ખુલાસા. (સન્માર્ગ પાક્ષિકમાંથી સાભાર) પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા ઔદયિક તિથિ આરાધનાને જ સત્ય માનતા હતા. ઔદયિક તિથિ ન કરવાથી – (૧) જિનાજ્ઞાભંગ, (૨) અનવસ્થા, (૩) મિથ્યાત્વ અને (૪) વિરાધના : આ ચાર પાપ લાગે છે; એમ તેઓશ્રીની અંતઃકરણથી શ્રદ્ધા હતી. માટે જ કુંવરજીભાઈ આણંદજી જેવા પ્રખર પંડિત શ્રાવકે તા. ૩૧-૭-૧૯૪૪ ના એઓશ્રી ઉપર ગ્રહણના વિષયનો પ્રશ્ન લખી એનું ગુરુ-શિષ્યભાવે સમાધાન માગ્યું ત્યારે એના જવાબરૂપે તેઓશ્રીમદે અમદાવાદ-જ્ઞાનમંદિરથી શ્રા. વદ-૧ ના સુવિસ્તૃત પત્ર લખી ગ્રહણ અંગેના શાસ્ત્રીય સમાધાન ઉપરાંત ઔદયિક તિથિની શાસ્ત્રીય પ્રણાલિકા પણ લખી જણાવી હતી. તેઓશ્રીમદે લખ્યું હતું કે - મારા પ્રત્યે તમે ગુરુભાવ ધરાવો છો તો હવે હું તમને જણાવું છું કે તમોએ તિથિચર્ચાનો નિર્ણય કે જે સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પ્રસિદ્ધ થયો છે, તે વાંચશો અને વિચારશો. આરાધક આત્માઓના સદ્ભાગ્યે સાચો નિર્ણય થવા પામ્યો છે. આવો સ્પષ્ટ નિર્ણય મેળવી આપવાનો સુયશ સુથાવક કસ્તુરભાઈ લાલભાઈને ઘટે છે. પ્રોફેસર વૈદ્ય જેવા મધ્યસ્થને લાવીને શ્રી જૈનશાસનની આજ્ઞા મુજબનો નિર્ણય લાવી આપવામાં સુશ્રાવક કસ્તુરભાઈએ શ્રી જૈનશાસનની અનુપમ સેવા બજાવી છે. આવી સેવા બજાવવાનું સામર્થ્ય તેમનામાં હતું અને તે સામર્થ્યનો તેઓએ સારામાં સારો સદુપયોગ કર્યો છે. સુશ્રાવક કસ્તુરભાઈએ પોતાના સામર્થ્યનો સદુપયોગ કરી મેળવી આપેલો સાચો નિર્ણય વાંચી, વિચારી અમલમાં મૂકવા જેવો છે. એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજ્ઞા મુજબ થાય છે અને મહત્ત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે. તેઓશ્રીમદ કુંવરજીભાઈ ઉપર તેમના પોતાના જ લખાણની સાક્ષી જણાવતાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy