SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ તેરશની વૃદ્ધિ વગેરે હેરાફેરી) થઈ હતી. ત્યારે પૂ. મૂલચંદજી મહારાજે તથા શ્રાવક સુબાજીએ વિરોધ કર્યો હતો. પરંતુ આપણું બળ ઓછું હોવાથી આપણે કંઈ કરી શક્યા નહિ અને ખોટું ઘૂસી ગયું. (વિશેષ પરિશિષ્ટ ૩ માં જોવું). ૫) વિ. સં. ૧૯૫૨ માં ભાવનગરની જૈનધર્મસભા તરફથી પ્રકાશિત થયેલા ભીંતીયા પંચાંગમાં ભાદરવા સુદ-૫ ક્ષય, ૪+૫ શુક્રવારે સંવત્સરી એ પ્રમાણે દર્શાવ્યું હતું. આ રીતે ઈતિહાસ જુદી જ વાત કરતું હોય અને ઈતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં આવે, તે મહામૃષાવાદ નથી તો શું છે ? હા, એટલી વાત ચોકકસ કે વિક્રમની ૧૯-૨૦ મી સદીમાં શાસન સામે ઘણાં આક્રમણો આવ્યા, ત્યારે તે આક્રમણોને ખાળવા માટેનો સિંહફાળો પૂ. આ. ભ. શ્રી રામચન્દ્રસૂરિજીનો હતો. તેઓશ્રીમદ્ગી આ પ્રશસ્ત પ્રવૃત્તિના કારણે સહજતાથી પુણ્યપ્રભાવ વધતો ગયો. તો સાથે સાથે કેટલાકને તે પુણ્યપ્રભાવ એટલીજ સાહજિકતાથી અકળામણરૂપ બનતો ગયો, તે જ અપપ્રચારમાં કારણ છે. આ ઈતિહાસસિદ્ધ હકીકત તેનું નુકશાન શું થયું? - કેટલાક સત્ય છોડીને અસત્ય તરફ ગયા. - કેટલાય ભવ્યાત્માઓ સત્યથી દૂર જ રહ્યા. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy