SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ખબગસેઢી [ ગાથા ૬-૧૩ (૬-૭-૮) યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયે જઘન્ય વિશુદ્ધિ સૌથી થેડી હોય છે. તેના કરતાં બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તેના કરતાં ત્રીજા સમયે અનંતગુણું, એ રીતે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સંખ્યામાં ભાગ સુધી જઘન્યવિશુદ્ધિ અનંતગુણી અનંતગુણી કહેવી. યથાપ્રવૃત્તકરણના પ્રથમ સંખ્યામાં ભાગના ચરમસમયની વિશુદ્ધિ કરતાં નીચે યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તેના કરતાં યથાપ્રવૃત્તકરણના પ્રથમ સંખ્યામા ભાગના ઉપરના પ્રથમસમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે. એ રીતે નીચે ઉપર ક્રમશઃ ઉત્કૃષ્ટ અને જઘન્યવિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમસમય સુધી કહેવી. યથાપ્રવૃત્તકરણના ચરમસમયની જઘન્યવિશુદ્ધિથી યથાપ્રવૃત્તકરણના ચરમસંખ્યાતમાં ભાગના પ્રથમસમયે ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતાં બીજા સમયે ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ હોય છે. આ રીતે યથાપ્રવૃત્તકરણના ચરમસંખ્યાતમા ભાગના ચરમસમય સુધી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી અનંતગુણી કહેવી. (૯–૧૦) યથાપ્રવૃત્તકરણ કરતે જીવ, મનોયોગ-વચનયોગ-દારિકકાયેગ, આ ત્રણ ગેમાંથી ગમે તે એક પેગમાં, સંજ્વલનોધ-માન-માયા-લેભ, આ ચાર કષાયમાંથી ગમે તે એક કષાયમાં, તેમજ શ્રુતપગમાં વર્તતે હોય છે. મતાંતરે મતિ–મૃત-ચક્ષુદર્શન–અચક્ષુદર્શન આ ચાર ઉપગમાંથી કોઈ એક ઉપયોગમાં વર્તે છે. પુરુષવેદ-વેદ-નપુંસકવેદ, આ ત્રણ વેદમાંથી કેઈ એક વેદમાં અને પૂર્વ પૂર્વસમયથી ઉત્તરોત્તરસમયે વિશુદ્ધતર થફલલેશ્યામાં વતે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને આશીરીને બંધ, ઉદય, સત્તા સુગમ હેવાથી સ્વયં જાણી લેવી. (૧૧) યથાપ્રવૃત્તકરણના અનંતરસમયે સપક આત્મા અપૂર્વકરણ કરે છે. અપૂર્વ કરણમાં અયવસાયની વિશુદ્ધિ ગોમૂત્રિકાના આકારપ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણી હોય છે. જેમ ગોમૂત્રની ધારા પ્રથમ ડાબી બાજુ પડે, પછી વક્રાકૃતિથી જમણી બાજુ પડે, પછી ફરી ડાબી બાજુ પડે. તે જ રીતે અપૂર્વકરણમાં પ્રથમસમયની જઘન્ય વિશુદ્ધિ કરતાં ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતાં બીજા સમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતાં તે જ બીજા સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તેના કરતાં ત્રીજા સમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે. આ કમથી અપૂર્વકરણના ચરમસમય સુધી જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોય છે. તેથી મૂત્રિકાની ઉપમાથી વિશુદ્ધિક્રમ બતાવ્યો છે. પાંચ અપૂર્વ અધિકાર : (૧૨–૧૩) અપૂર્વકરણના પ્રથમ સમયથી જ (૧) શુભ તેમજ અશુભકર્મોની પપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત. (૨) અબધ્યમાન અશુભકર્મના પ્રદેશોનો ગુણસંક્રમ. (૩) અશુભકમના રસને ઘાત, (૪) અપૂર્વ સ્થિતિબંધ અને ૧. જુઓ – ક્ષપકશ્રેણિ ટીકા પૃ. ૧૬ ઉપરનું ચિત્ર. ૨. ગોમૂત્રિકાકૃતિ માટે જુઓ ક્ષપકશ્રેણિ ટીકા પૃ. ૨૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy