SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ |ાદના # Ek T શ્રીસડલચંદ્રજીત પ્રતિષ્ઠાકલ્પઃ- સંવિગ્નશિરોમણિ, સચ્ચારિત્રચૂડામણિ, બહુશ્રુત મહોપાધ્યાય શ્રી સકલચંદ્રજી ગણીશ્વરે, પંચમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ વિદ્યાપ્રવાદપૂર્વમાંથી ઉદ્ધૃત પ્રતિષ્ઠાકલ્પ પરથી શ્રી જગચંદ્રસૂરીશ્વરે જે ઞાન- પ્રતિષ્ઠાકલ્પ રચ્યો હતો તેના આધારે અને પૂર્વાચાર્યોએ રચેલા વિવિધ પ્રતિષ્ઠાકલ્પોને નજર સમક્ષ રાખી, તે તે પૂજ્ય રાજ્ય આચાર્યોની તથા ગ્રંથોની આમ્નાય-ગુરુગમ મર્યાદાને સંપૂર્ણપણે વફાદાર રહીને આશરે ૪૫૦ વર્ષ પૂર્વે, તપાગચ્છાધિપતિ, પરમગુરુદેવ શ્રીમદ્વિજયદાનસૂરીશ્વરજી મહારાજના તત્ત્વાવધાનમાં “પ્રતિષ્ઠાકલ્પ” નામે ગ્રંથનું સંકલનરૂપ નિર્માણ કર્યું. તે પછી આજદિન સુધી શ્રીજિનેશ્વરભગવંતોના બિંબો તથા ચૈત્યોની પ્રાણપ્રતિષ્ઠા-પ્રતિષ્ઠાના લોકોત્તરવિધાનમાં એક પ્રકારની વ્યવસ્થા/એકવાક્યતા સધાઈ છે અને અખંડપણે ચાલી આવી છે. = = સાધુતા, સ્થિરતા, સરળતા આદિ ગુણશ્રેણીને કારણે વિશેષ હતું તેથી કદાચ તે મહાપુરુષોની દૃષ્ટિના સંપર્કથી, વાસક્ષેપ કરવા માત્રથી પણ જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા થઈ શકતી. કાલાન્તરે ગુણો ઘટ્યા, દોષો વધ્યા, નૈષ્ઠિક આત્મબળ ઘટતા તે તે સમયના મહાપુરુષોએ પોતાના ક્ષયોપશમ મુજબ અર્હદ્ભાવની પ્રતિષ્ઠા માટે જુદા જુદા પ્રતિષ્ઠાકલ્પોની સંકલના કરી. જેવા કે શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીહેમાચાર્યકૃત, શ્રીશ્યામાચાર્યકૃત, શ્રીભટ્ટારક ગુણરત્નાકરસૂરિષ્કૃત પ્રતિષ્ઠાકલ્પો, શ્રીપાદલિપ્તસૂરિજી મ.ની નિર્વાણકલિકા વગેરે. છતાં ય સૂક્ષ્મદ્રષ્ટિથી અવગાહન કરતા ખ્યાલ આવે છે કે સમયાનુસાર પ્રતિષ્ઠાકલ્પોમાં સંક્ષેપવિસ્તાર થતો રહ્યો છે, પરંતુ તેના પ્રમાણભૂત હાર્દમાં ક્યારે પણ ફરક પડ્યો નથી. विधि Jain Education Inte અર્જનવિધાનનો પુનઃ પ્રારંભઃ- પ્રસ્તુત પ્રતિષ્ઠાકલ્પ ૩૦/૭૦ વર્ષ પહેલા તો હસ્તલિખિત પ્રતિઓના સ્વરૂપે મળતો હતો. પ્રાણપ્રતિષ્ઠાનું વિધાન હોય ત્યારે જ તેનો ઉપયોગ થતો. એ વિધાન પણ ક્યારેક થતા. તેમાંય કેટલાક પ્રસંગે પ્રતિકૂળ ional For Private & Personal Use Only ? “ à છ 1 ઇં ?. 11611 www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy