SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कुत इत्याह__ एएसि सत्त वीही, एत्तो च्चिअ पायसो जओ भणिआ । कह नाम अणोमाणं ?, हविज्ज गुणकारणं णिअमा ॥ १४८० ॥ वृत्तिः- 'एतेषां सप्त वीथ्यः, अत एव' कारणात्, मा भूदेकस्यामुभयाटनमिति, 'प्रायसो यतो भणिता:' क्वचित्प्रदेशान्तरे, 'कथं नामानवमानं भवेत् ?', अन्योऽन्यसंघट्टाभावेन 'गुणकारकं नियमात्' प्रवचनस्येति गाथार्थः ।। १४८० ।। આ પ્રાસંગિક કહ્યું. હવે પ્રસ્તુત વિષયને જ કહે છે– પ્રશ્ન- આ પ્રમાણે વિચરતા તે જિનકલ્પીઓ એક વસતિમાં કેટલા રહે? તથા શેરીમાં ભિક્ષાટન કરતા તે જિનકલ્પીઓ એક શેરીમાં કેટલા ભિક્ષાટન કરે ? [૧૪૭૭]. ઉત્તર-એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પીઓ રહે, અને કોઈ પણ રીતે પરસ્પર બોલે નહિ. [૧૪૭૮] એક શેરીમાં પ્રતિદિન એક જ જિનકલ્પી ભિક્ષાટન કરે. આ વિષે બીજાઓ વિકલ્પ કહે છે, અર્થાત્ એક શેરીમાં પ્રતિદિન એકથી વધારે પણ જિનકલ્પીઓ ભિક્ષાટન કરે એમ કહે છે. પણ આ વિકલ્પ યુક્તિક્ષમ નથી-યુક્તિ સામે ટકી શકે તેમ નથી. [૧૪૭૯] આ વિકલ્પ યુક્તિક્ષમ કેમ નથી? એ કહે છે- એક શેરીમાં બે જિનકલ્પીઓને ભિક્ષાટન કરવાનો પ્રસંગ ન આવે એ માટે જ જિનકલ્પીઓની કોઈક પ્રદેશમાં પ્રાય: સાત શેરીઓ (= વિભાગો) કહી છે. જો આ રીતે વિભાગ ન પાડવામાં ન આવે તો એક શેરીમાં જિનકલ્પીઓનો પરસ્પર સંઘટ્ટ થાય. આથી (૩ળોમi =) ક્ષેત્રના માપનો અભાવ=વિભાગનો અભાવ જિનકલ્પીઓના પરસ્પરના સંઘટ્ટના અભાવદ્વારા નિયમા પ્રવચનને લાભકારી કેવી રીતે થાય ? ન જ થાય. (ભાવાર્થ- ક્ષેત્રના વિભાગ ન પાડવામાં આવે તો જિનકલ્પીઓનો પરસ્પર સંઘટ્ટ થાય અને એથી શાસનને નુકસાન થાય. લોકોને એમ થાય કે એકને આપ્યું તો બીજો આવ્યો, બીજાને આપ્યું તો ત્રીજો આવ્યો. આમ લોકોને અરુચિ થવાનો સંભવ રહે. એથી શાસનની હીલના થાય. જયારે વિભાગ પાડવામાં આવે તો એક શેરીમાં એકથી વધારે ન જાય, એથી લોકોને જિનકલ્પી પ્રત્યે આદર વધે. આથી શાસનની પ્રભાવના થાય.) [૧૪૮૦]. वीथीज्ञानोपायमाह अइसइणो अ जमेए, वीहिविभागं अओ विआणंति । ठाणाइएहि धीरा, समयपसिद्धेहि लिंगेहिं ॥ १४८१ ॥ वृत्तिः- 'अतिशयिनश्च यदेते' श्रुततः वीथीविभागमतो विजानन्त्ये 'वेति, स्थानादिभिः ધીરા' વસતિ તૈ: “સમય સિદ્ધતિઃ ' શ્રુતીતિ થાર્થ: / ૨૪૮૬ ૧. જ્યારે સાત જિનકલ્પીઓ એક સ્થળે ભેગા થાય ત્યારે સાત વિભાગ કરવાના હોય છે. સાત જિનકલ્પીઓ ક્યારેક જ ભેગા થાય. આથી સાત ભાગ પણ ક્યારેક જ કરવાના હોય છે. માટે અહીં ‘પ્રાયઃ' કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy