SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद વૃત્તિ:- ‘છ્યું ' પ્રમાળવિશેષાાિને સ્મૃતિ ‘વચનમાત્રાત્' સળાશાત્ ‘ધર્માવોવો' તે પ્રાળુત: ‘સ્નેચ્છાનામપિ'-મિરાવીનાં, વેત્સાહ-‘ધાતયતાં ‘ક્રિષ્નવર' બ્રાહ્મળમુર્છા‘પુરતો નનુ 'વડિાવીનાં' તેવતાવિશેષાળમિતિ ગાથાર્થ: || ૨૨૪૦ || णय तेसिंपि ण वयणं, एत्थ निमित्तंति जं ण सव्वे उ । तं तह घायंति सया, अस्सुअतच्चो अणावक्का ॥ १२४१ ॥ વૃત્તિ:- ‘ન = ‘તેષામપિ' મ્લેચ્છાનાં ‘ન વચનમ્ ત્ર નિમિત્તમિતિ'- દ્વિનાતે, ઋતુ વચનમેવ, મુક્ત ત્યા.--‘યન્ન સર્વ વ્' મ્તા: ‘તેં' દ્વિનવાં ‘તથા પાતત્તિ તા, 'अश्रुततच्चोदनावाक्याद्' द्विजघातचोदनावाक्यात् इति गाथार्थः ॥। १२४१ ।। “આ વચન પ્રમાણ છે’ એમ પ્રમાણવિશેષનું જ્ઞાન થયા વિના વચનમાત્રથી (= ગમે તે વચનથી) થતી પ્રવૃત્તિને ધર્મરૂપ અને નિર્દોષ માનવામાં આવે તો તમારે ચંડિકાદેવી વગેરેની આગળ મુખ્ય બ્રાહ્મણનો ઘાત કરનારા ભિલ્લ વગેરેની હિંસાને પણ ધર્મરૂપ અને નિર્દોષ માનવાનો પ્રસંગ આવે. [૧૨૪૦] મ્લેચ્છો મુખ્ય બ્રાહ્મણનો ઘાત કરે છે, તેમાં વચન નિમિત્ત નથી, અર્થાત્ વચનથી ઘાત કરતા નથી, એમ નહિ કહી શકાય, વચન જ નિમિત્ત છે. એનું કારણ એ છે કે બધા જ મ્લેચ્છો મુખ્ય બ્રાહ્મણનો ચંડિકાદેવી વગેરે આગળ ઘાત કરતા નથી. કારણ કે બધા જ મ્લેચ્છોએ બ્રાહ્મણઘાતનું પ્રેરક વચન સાંભળ્યું નથી. (જો વચન વિના ઘાત કરતા હોય તો બધા ઘાત કરે. બધા જ ઘાત કરતા નથી એનાથી એ સિદ્ધ થાય છે કે ધાતની પ્રેરણા કરનારા વચનથી ઘાત કરે છે. જેમણે બ્રાહ્મણવાતની પ્રેરણા કરનાર વચન સાંભળ્યું છે તે ઘાત કરે છે અને જેમણે એ વચન સાંભળ્યું નથી તે ઘાત કરતા નથી.) [૧૨૪૧] अह तं ण एत्थ रूढं, एअंपि ण तत्थ तुल्लमेवेयं । अह तं थेवमणुचिअं, इमंमि एआरिसं तेसिं ॥ १२४२ ॥ . વૃત્તિ:- ‘ગ્રંથ ‘તત્’ મ્લેચ્છપ્રવર્ત્ત વશ્વનું ‘નાત્ર રૂઢ' તો ત્યાાક્યા-‘તપિ’ वैदिकं 'न 'तत्र' भिल्ललोके रूढमिति 'तुल्यमेव 'इदम्' अन्यतरारूढत्वम्, 'अथ तत्' म्लेच्छप्रवर्त्तकं ‘स्तोकमनुचितम् ' - असंस्कृतमित्याशङ्क्याह- 'इदमपि' वैदिकं चोदनारूप' मीदृशमेव'-स्तोकादिधर्म्मकं, 'तेषां' म्लेच्छानामाशयभेदादिति गाथार्थः || १२४२ ॥ કદાચ તમે કહેશો કે મ્લેચ્છોને હિંસામાં પ્રવર્તાવનાર વચન લોકમાં પ્રસિદ્ધ નથી, તો વૈદિક વચન પણ ભિલ્લલોકમાં રૂઢ નથી, આથી બંનેમાં તુલ્યતા છે. બંને કોઈ એકમાં રૂઢ નથી. કદાચ કહેશો કે મ્લેચ્છોને હિંસામાં પ્રવર્તક વચન અલ્પ (= થોડા લોકોમાં જાણીતું) અને અસંસ્કારી છે, તો મ્લેચ્છોને આશયભેદથી વૈદિક પ્રેરક વચન પણ એવું જ = અલ્પ અને અસંસ્કારી જણાય છે. (ભાવાર્થ- જેમ વૈદિકોને મ્લેચ્છપ્રવર્તક વચન અલ્પ અને અસંસ્કારી જણાય છે તેમ મ્લેચ્છોને પણ હિંસાપ્રેરક વચન પણ અલ્પ અને અસંસ્કારી જણાય છે. આમ બંનેમાં સમાનતા છે.) [૧૨૪૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy