SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વૃત્તિ:- ‘અર્વશ્ચ ન વધ્યતે' ન્યાયત:, વુત રૂત્સાહ- ‘અતિપ્રસŞાત્', મુત્તે ‘સરૈવ’ માવાત્ ‘વન્યસ્ય', અતૃવિશેષાદ્, યત વં‘તસ્માત્ મેવમેરે’ નાત્યન્તત્મ ‘નીવશરીરયોર્કન્ધાવ્યો', નાન્યથતિ ગાથાર્થઃ || ૬૬૦૪ || દેહ દેહમાં જ ઉપઘાત અને અનુગ્રહ કરે છે, અર્થાત્ એક શરીર બીજા શરીર ઉપર હિંસાદિ રૂપ ઉપઘાત અને ચંદનવિલેપનાદિ રૂપ અનુગ્રહ કરે છે, એથી જ બંધ વગેરે થાય છે. અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માને (ઉપઘાત વગેરે) કંઈ પણ કરતો નથી. કારણ કે આત્મા મુક્ત જીવ સમાન છે, અર્થાત્ શરીરની સહાય વિનાનો એકલો સંસારી પણ આત્મા મુક્ત આત્મા સમાન છે. [૧૧૦૩] જે કંઈ કરે નહિ તે ન્યાયની રીતે ન બંધાય. જે કંઈ કરે નહિ તે બંધાય તો અતિપ્રસંગ દોષ થાય. કારણ કે મુક્ત આત્માને પણ સદા ય બંધ થાય. કારણ કે અકર્તૃત્વ (સંસારી અને મુક્ત એ) બંનેમાં સમાન છે. માટે જીવ અને શરીરમાં જાત્યંતરરૂપ ભેદાભેદ હોય તો બંધ વગેરે ઘટે, અન્યથા ન ઘટે. જીવ-શરીરમાં ભેદાભેદ હોય તો શરીર ઉપઘાત-અનુગ્રહ કરે છે એટલે આત્મા ઉપઘાતઅનુગ્રહ કરે છે, અને એથી આત્માને બંધ વગેરે થાય છે. (પ્રશ્ન- જાત્યંતરરૂપ ભેદાભેદ એ સ્થળે જાત્યંતર એટલે શું ? ઉત્તર- ભેદાભેદ એટલે ભેદ અને અભેદનો સરવાળો નથી, કિંતુ એ બેના યોગથી ભેદાભેદ રૂપ નવી જ જાતિ ઉત્પન્ન થાય છે. જો ભેદાભેદ એ ભેદ અને અભેદના સરવાળા રૂપ હોય તો એ બંનેથી થતા દોષો તેમાં લાગે. જ્યારે બને છે ઉલટું. ભેદાભેદમાં એકાંતે ભેદ અને એકાંતે અભેદ એ બંનેના દોષો દૂર થાય છે, અને નવા ગુણો પ્રગટે છે. જેમ મગ અને ચોખાના મિશ્રણથી ખીચડીરૂપ એક સ્વતંત્ર અન્ય દ્રવ્ય ઉત્પન્ન થાય છે. તેથી એકલા મગથી અને એકલા ચોખાથી થતા દોષો ખીચડીમાં રહેતા નથી, અને નવા ગુણો પ્રગટે છે. તેવું જ ભેદાભેદમાં બને છે. આમ ભેદાભેદ એક સ્વતંત્ર અન્ય જાતિ હોવાથી અહીં “જાત્યંતર રૂપ ભેદાભેદ” એમ કહ્યું છે.) [૧૧૦૪] मोक्खोऽवि अ बद्धस्सा, तयभावे स कइ कीस वा ण सया ? | किं वा ऊहि तहा कहं च सो होइ पुरिसत्थो ? ॥। ११०५ ॥ વૃત્તિ:- ‘મોક્ષોપિ ચ વન્દ્રસ્ય' તો મતિ ‘તદ્ભાવે' વન્ધામાવેસ' થં મોક્ષ: ?, શૈવ, ‘િિમતિ ‘વા ન સવાસો ?', વધામાવાવિશેષાત્, ‘વિધવા હેતુમિતથા ?', यथाऽऽदिभिः, 'कथं चासौ भवति पुरुषार्थः ?', अयलसिद्धत्वादिति गाथार्थः ॥ ११०५ ॥ મોક્ષ પણ બંધાયેલાનો થાય. બંધ જ ન હોય તો મોક્ષ કેવી રીતે હોય ? ન જ હોય. હવે જો બંધ વિના પણ મોક્ષ થાય તો મોક્ષ સદા કેમ થતો નથી ? અર્થાત્ પ્રત્યેક સમયે મોક્ષ કેમ થતો નથી ? કારણ કે જેમ અમુક સમયે મોક્ષ પામનાર જીવમાં બંધનો અભાવ છે તેમ અન્ય જીવોમાં પણ બંધનો અભાવ છે. બંનેમાં બંધાભાવ સમાન છે. તથા બંધ વિના પણ મોક્ષ થતો હોય તો મોક્ષના યથાપ્રવૃત્તિકરણ વગેરે હેતુઓની પણ શી જરૂર છે ? તથા પ્રયત્ન વિના જ મોક્ષ થવાથી મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ પણ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. [૧૧૦૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy