SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દરિદ્ર મનુષ્યોનાં આવાસ હોય છે. અઠવાડિયામાં રવિવારે કે રજાના દિવસે ત્યાં જઈને મમરા, સિંગ, બિસ્કિટ, પૌંઆ વગેરે કોઈ પ્રકારની ખાદ્ય સામગ્રી વહેંચીએ તો આપણામાં અનુકંપાનો ગુણ વિકસિત થાય છે. તેવી જ રીતે હૉસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ આદિની વહેંચણી અથવા તેમની સેવામાં રહેનાર સગાંઓને ભોજનની વ્યવસ્થામાં સહાયક થવાની પ્રવૃત્તિ એ પણ સેવાનો એક અનુકરણીય પ્રકાર છે. અવારનવાર આપણે ઘેર કંઈક ને કંઈક સારા પ્રસંગો ઊજવાતા હોય છે. આવા પ્રસંગોમાં ઘણી વાર રાંધેલું ભોજન વધતું હોય છે. આવું રાંધેલું ભોજન જુદા જુદા પ્રકારની સેવા કરતી સંસ્થાઓમાં તુરત જ મોકલી આપીએ તો તે ભોજનસામગ્રી નકામી ન જાય અને તેનો સદુપયોગ થઈ જાય. આપણા દેશમાં તથા દુનિયાના અન્ય ભાગોમાં અવારનવાર વિવિધ પ્રકારની કુદરતી તેમજ માનવજન્ય આફતો બનતી જ રહે છે. ક્યાંક પુર આવે છે તો ક્યાંક વાવાઝોડાં-તોફાન, વળી ધરતીકંપ આદિ મોટા ઉત્પાતો પણ સર્જાય છે, જેમાં હજારો-હજારો લોકો બેઘર બની જાય છે, તેમજ ઈજાગ્રસ્ત બને છે. ક્યાંક જવાળામુખી ફાટે છે, તો ક્યાંક વીજળી પડે છે. આ ઉપરાંત વિજ્ઞાનના આ જમાનામાં માનવસર્જિત આફતો પણ કંઈ ઓછી નથી. નાનાંમોટાં યુદ્ધોમાં સેંકડો મનુષ્યો મરે છે અને નિરાશ્રિતો તથા વિધવાઓના અનેક પ્રકારના ગંભીર પ્રશ્નો સર્જાય છે. નવાં રાજ્યો કે દેશોની રચના થતાં, મોટા પાયે નિર્વાસિતોના પ્રશ્નો ઊભો થાય છે, જેમકે આપણા દેશમાં ૧૯૪૭માં બન્યું અને હાલમાં રશિયામાં બની રહ્યું છે. આવા સંજોગોમાં હજારો માણસો જુદા જુદા પ્રકારની આપત્તિઓમાં આવી પડે છે; જેવી કે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક તથા સામાજિક, આપણી શક્તિ અનુસાર, પરંતુ શક્તિ છુપાવ્યા વગર વ્યક્તિગત સ્તરે, સંસ્થાકીય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે તનની સેવામાં, આર્થિક સહયોગથી કે કોઈક કૅમ્પ કે હૉસ્પિટલમાં સેવાઓ આપવા જઈએ ત્યારે આપણા હૃદયનો એક ખાસ પ્રકારનો વિકાસ થાય છે; તેમજ માનવ-માનવ વચ્ચેના ઇન્સાનિયતના નાતાનો આપણને મહદ્ અંશે અનુભવ થાય છે અને સંત વિનોબાજી જેવા મહાપુરુષોએ આપેલા ‘નય-ગાત’ તથા “વસુધૈવ સુહુરૂવમ્' જેવાં ભારતીય પરંપરાના અમૂલ્ય સૂત્રોની ભાવનાનું પ્રત્યક્ષીકરણ થાય છે. ૮. માનવવિકાસમાં સેવાના યોગદાન વિષે ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધીજી, મધર ટેરેસા તથા રવિશંકર દાદાના જીવનમાંથી આપણને જનસેવા કરવાની ઘણી પ્રેરણા મળી છે. ગુજરાતી ભાષાના આદ્ય ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાના વિશ્વપ્રસિદ્ધ પદમાં કહ્યું છે તેમઃ “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ..” પરની પીડાને દૂર કરવાની વૃત્તિ જાગે ત્યાર પછી જ આપણા જીવનમાં ક્રમશઃ સાચો આધ્યાત્મિક વિકાસ ઉદય પામે છે. આ સાર્વભૌમ સિદ્ધાંત આપણને માનવસેવા દ્વારા આપણા હૃદયને કરુણામય, કોમળ અને સંવેદનશીલ બનાવવાનો આદેશ આપે છે. - આજનો વિચાર ૧. મારું આજનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવીશ, પરંતુ તેથી આગળ શું થશે તે ઈશ્વર પર છોડી દઈશ. ૨. દરેક મનુષ્યની માફક હું પણ સમાજનું જ એક અંગ છું. એક શિષ્ટ અને સમજદાર નાગરિક તરીકે મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy