SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થો કે લોનાવલા કે શ્રવણબેલગાલા, ખંડાલા, ગિરનાર જેવાં પ્રાકૃતિક રમણીય સ્થળોએ આયોજન કરવામાં આવે છે. એમના પરદેશ-પ્રવાસ દરમિયાન પણ એક-બે જગ્યાએ શિબિર તો હોય જ. એમના અમેરિકાના પ્રવાસ દરમિયાન લોસ એન્જેલસ ખાતે ત્રણ દિવસની શિબિર યોજી હતી. તેમજ ‘સિદ્ધાચલમ્’ (એન.જે.) ખાતે તથા ડેટ્રોઇટ ખાતે શિબિરો પણ યોજાઈ છે. શિબિરો અંગેની માહિતી ‘દિવ્યધ્વનિ'માં આવતી રહે છે. આવી શિબિરોમાં અનેક વિશિષ્ટ અતિથિઓના જ્ઞાનનો તથા ભક્તિસંગીતનો લાભ મળે છે. સર્વશ્રી પ્રો. ચિનુભાઈ નાયક, સાહિત્યકાર-જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસી ડૉ. કુમારપાળભાઈ દેસાઈ, પૂ. ભાનુવિજયજી મહારાજ, પૂ. બંધુ ત્રિપુટી, ડૉ. પ્રીતિબહેન શાહ, ક્યારેક મુમુક્ષુ શ્રી ખુશમનભાઈ ભાવસાર, પ્રા. સુરેશભાઈ રાવલ, શ્રી મણિભાઈ શાહ અને શ્રી શકરચંદભાઈ વખારિયા, શ્રી સુધીરભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ શાહ કે ડૉ. જિતેન્દ્ર શાહ, શ્રી અનુપમભાઈ શાહ વગેરે પણ સ્વાધ્યાય-પ્રવચનો અને શંકા-સમાધાનનો લાભ આપે છે. યુવા શિબિરમાં યોગાસન કરતાં યુવા ભાઈ-બહેનો યુવાશિબિરોમાં યુવક-યુવતીઓને વ્યક્તિત્વવિકાસ, યોગાસનો તથા આરોગ્યવર્ધક અન્ય અભ્યાસોની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ, માનવસેવા, નિયમિત સાચન અને ઉન્નત જીવન માટેની પ્રેરણા, માર્ગદર્શન અને નિયમો આપવામાં આવે છે. આવી યુવાિિશબરો આજ સુધીમાં લગભગ ૪૨ થઈ. આ યુવાિિશબરોમાં વડોદરાના સુપ્રસિદ્ધ યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદી અને નયનાબહેન મોદી છેલ્લાં ૨૨ વર્ષથી પૂજ્યશ્રીને વિશિષ્ટ સહયોગ આપતાં રહ્યાં છે. યુવા-ધન કંઈક કરવા થનગનતું હોય છે એટલે આ ઉંમરમાં તેમને જેટલા સંસ્કાર-કંડારાય એટલા એ વધુ ઉપયોગી બની રહે છે. આ શિબિરો સંસ્કારજ્યોતને પ્રજ્વલિત રાખે છે. આવી શિબિરોમાં ક્યારેક સમાજોત્કર્ષના અંશો પણ સમાવિષ્ટ હોય છે; જેમકે ક્યારેક ‘રક્તદાન’ શિબિર હોય કે નેત્ર-સારવાર યજ્ઞ. યોજાયેલ શિબિરો પાછળ પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઉપરાંત સામાજિક અને રાષ્ટ્રીય સેવાની દૃષ્ટિ પણ કામ કરે છે. રક્તદાન આપનાર દાતા પોતાને આધુનિક કે અઘતન માનતી, સ્વચ્છંદતાને સ્વતંત્રતામાં ખપાવતી, ગળાડૂબ મોજશોખમાં ખૂંપેલી નવી પેઢીના યુવામાનસને સમજી, તત્ત્વજ્ઞાનનું ભારણ નાખ્યા વિના, સંસ્કારને કેન્દ્રમાં રાખીને વધુ શિબિરાર્થીઓ ભાગ લે એવો પ્રયત્ન કરવામાં આવે છે. કોબા આશ્રમમાં યોજાતી આવી યુવાશિબિરોનો એક વાર તો અનુભવ કરવા જેવો છે. પ્રાકૃતિક અને પવિત્ર વાતાવરણમાં બધું ભૂલી જવાય છે. સમય ક્યાં જાય છે તે ખબર પડતી નથી. આવી યુવા-વિદ્યાર્થી શિબિરમાં પૂજ્યશ્રી બાળક જેવા બની સહુનાં હૃદય જીતી લે છે. Jain Education International તીર્થયાત્રાઓ : એકલાં કે સમૂહમાં તીર્થયાત્રાઓ કરવી એ પૂજ્યશ્રીની સાધનાનું એક ખૂબ જ મહત્ત્વનું અંગ રહ્યું છે. 91 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy