SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અતિજ્ઞાન નથી, પરંતુ ત્યાં મતિના ૭૩૬ આદિ ભેદો સ્વીકારાયા હોવાથી વદુ આદિને અર્થત: સ્વીકાર છે એમ માનવું પડે. 218 તત્ત્વાર્થમાં મતિજ્ઞાનના ૨, ૪, ૨૮, ૧૬૮ અને ૩૩૬ ભેદ સંખ્યાને ઉલ્લેખ છે. 21 8 (ક) જ્યારે ખંડાગમમાં નવાળંગત ૨ સિવાય બાકી ચાર પ્રકારના ભેદો ઉપરાંત ૩૮૪ સુધીની વિવિધ ભેદસંખ્યાને ઉલેખ બે સૂત્રોમાં થયેલ છે. સૂ૦ ૫-૫-૨૨ માં ૪, ૨૪, ૨૮ અને ૩૨ ભેદસંખ્યાનો ઉલ્લેખ છે, જ્યારે ૫-૫-૩૫ માં ૪, ૨૪, ૨૮, ૩ર, ૪૮, ૧૪૪, ૧૬૮, ૧૯૨, ૨૮૮, ૩૩૬, અને ૩૮૪ ભેદસંખ્યાને ઉલ્લેખ છે. ઉક્ત બને સૂત્રો પાસે પાસે નથી. વળી, પ્રથમ સૂત્રમાં ૩ર સુધીની જ સંખ્યા છે, જે ભેદસંખ્યાની પ્રાથમિક વિચારણાનું સૂચન કરે છે, જ્યારે પછીના સૂત્રમાં ૩૨ સુધીના ભેદનું પુનરાવર્તન થયું છે. ઉપરાંત તે પછીની વિવિધ ભેદસંખ્યા ને પણ ઉલ્લેખ થયો છે, જે ઉક્ત વિચારણને વિકાસ સૂચવે છે. આથી માનવું પડે કે, ટૂખંડાગમમાં મતિભેદની વિચારણું બે તબકકે થવા પામી હશે, અર્થાત સૂટ પ-પ-૩૫ નું ઉમેરણ તત્ત્વાર્થના કાળ પછી તેમાં થયું હશે. તત્ત્વાર્થ અને ટૂખંડાગમમાં ઉપયુક્ત ભેદની ગાણિતિક સમજૂતી અપાઈ નથી. (૧) મવહારે ચાર ભેદ સ્વયંસ્પષ્ટ છે. (૨) ૨૮ ભેદની સમજૂતી નંદિમાં અપાઈ છે. (૩) તત્ત્વાર્થસંમત બે ભેદોમાં રુદ્રિયનિમિત્ત અને અનિદ્રિયનિમિત્તને સમાવેશ થાય છે. 219 (૪) નંદિસ મત ૨૮ ભેદોને વદુ આદિ ૧ર ભેદોથી ગુણતાં ૩૩૬ની સંખ્યા પ્રાપ્ત થાય છે, જેનું સમર્થન જિનભદ્ર, હરિભદ્ર, મલયગિરિ અને યશોવિજયજીએ પણ કર્યું છે.22 ) (૩) અકલંકને અનુસરીને ધવલાટીકાકારે ચાર થી શરૂ થતા તમામ ભેદોની સમજૂતી આપી છે. : (૧) અવગ્રહ સામાન્ય, ઉદ્દા, અવાય અને ધાળાના પ્રત્યેકના શ્રોત્રેન્દ્રિયાદિ ૬ ભેદોથી ગુણતાં ૨૪ ભેદ થાય છે. આ ૨૪ને વહૂ આદિ થી ગુણતાં ૧૪૪ ભેદો થાય છે અને વઘુ આદિ ૧૨ થી ગુણતાં ૨૮૮ ભેદ થાય છે. (ખ) મવગ્રહરિ ચારને વદુ આદિ ૧૨ થી ગુણતાં ૪૮ ભેદો થાય છે. (ગ) વંઝનાવગ્રહના ભેદને પૃથફ ગણતાં પ્રાપ્ત થતા ૨૮ ભેદોને ઉપર પ્રમાણે ૬ અને ૧૨ થી ગુણાતાં અનુક્રમે ૧૬૮ અને ૩૩૬ ભેદો થાય છે. (ઘ) ઉક્ત ૨૮ ભેદમાં સર્વપ્ર, ઠ્ઠા, સવાય અને ધારાસામાન્ય (મૂલભંગ) એ ચારનું ઉમેરણ કરતાં ૩ર ભેદો થાય છે; જેને ઉપર પ્રમાણે ૬ અને ૧૨ થી ગુણતાં અનુક્રમે ૧૯૨ અને ૩૮૪ ભેદો પ્રાપ્ત થાય છે. અકલંકે રાજવાર્તિકમાં ૪૮ ભેદોનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ લયસ્ત્રયમાં તે ભેદોનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત તેઓનું પ્રમાણ પણું સિદ્ધ કર્યું છે. 221 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy