SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસંમત જ્ઞાનચર્ચા ની બનવા પામી. તે પછી પખંડાગમ અને તત્ત્વાર્થના કાળમાં વિશેષ પ્રભેદની વિચારણું થઈ, જેઓની સંખ્યા અનુક્રમે ૩૩૬ અને ૩૮૪ સુધી પહોંચી. તત્વાર્થમાં મતિના જિનિમિત્ત અને મનિજિયનિમિત્ત એવા પણ ભેદોને ઉલ્લેખ મળે છે. ૦ 8 (૧) અઠ્ઠાવીસ ભેદ : મતિના મુખ્ય ચાર ભેદે છે : અવાહ, હા, મવાય, અને ધારણા. અવગ્રહના મર્યાવરë અને ચંગાવહ એમ બે ભેદ છે. અર્થા વગ્રહના શ્રોત્રિય, મર્યાવરૂ, ઘણું ઘાલે, પ૦ ની નોન્દ્રિય એમ છ ભેદો છે. આ જ પ્રમાણે હા, અવાય, અને શાળાના પણ છ છ ભેદે છે. આમ કુલ ૨૪ ભેદો થાય છે. તેમાં વ્યંજનાવગ્રહના ચક્ષુ અને મન સિવાયના ચાર ભેદ ઉમેરાતાં કુલ ૨૮ ભેદો થાય છે. 209 નંદિમાં આ ભેદ થતનિપ્રિતના છે, જ્યારે પખંડાગમ અને તત્ત્વાર્થમાં આ ભેદ મતિજ્ઞાનસામાન્યના છે એની સ્પષ્ટતા પૂર્વે કરવામાં આવી છે. ઉક્ત ભેદોના મૂળમાં પાંચ ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને મનોજ્ઞાન છે. વૈદિક અને બૌદ્ધદર્શન પણ આ જ્ઞાને સ્વીકારે છે. 21 0 ન્યાયદર્શનના કાળના કેટલાક આચાર્યો એક માત્ર ત્વચા ઈન્દ્રિયને સ્વીકાર કરીને અન્ય ઈન્દ્રિયોને અંતર્ભાવ વચામાં કરતા હતા. ન્યાયસૂત્રકારે એ મતનું ખંડન કરીને ઈન્દ્રિોની સંખ્યા પાંચ છે તેવું સિદ્ધ કર્યું છે. 11 ન્યાય અને બૌદ્ધદર્શન ઈન્દ્રિયજન્ય અનુભવ પછી માનસપ્રત્યક્ષને સ્વીકાર કરે છે,812 ન્યાયમતે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને અનુભવ માનસ પ્રત્યક્ષથી થાય છે જ્યારે બૌદ્ધદર્શનના મતે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી માનસપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. 13 ન્યાયમતે પ્રત્યક્ષ, અનુમતિ, ઉપમીતિ, શાબ્દ અને સ્મૃતિને અનુભવ તેમજ સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, જ્ઞાન, પ્રયત્ન, અને આત્મા આદિ આન્તર વિષયનું પ્રત્યક્ષ મનથી થાય છે.814 આમ ન્યાયદર્શનસંમત માનસપ્રત્યક્ષ વિસ્તૃત અથપરક છે, જ્યારે બૌદ્ધદર્શનસં મત માનસપ્રત્યક્ષ સંકુચિત છે. જેનદર્શનના મતે પાંચ ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી મનોજ્ઞાન જન્મતું નથી,215 પરંતુ ઈન્દ્રિયનિરપેક્ષ અને મને માત્ર સાપેક્ષ જ્ઞાન જ મોંમતિ છે. અલબત્ત સાંખ્ય-- દશનની જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં મનની સહાયતાનો તે સ્વીકાર કરે છે ખરું 21 6 (૨) ૩૮૪ સુધીના ભેદો – નંદિમાં ૨૮ ભેદોથી આગળના પ્રભેદો નથી, કારણ કે ત્યાં વૈદુ આદિ બાર ભેદોને ઊલ્લેખ નથી. સર્વપ્રથમ તસ્વાર્થમાં વદુ, દુવિઘ, લિલ, અનિશ્ચિત, અનુ તેમજ ધ્રુવ એ છ ભેદો અને તેના પ્રતિપક્ષભૂત છ ભેદ અર્થાત મરણ, વિઘ, વિર, નિશ્ચિત, ૩, મઘર મળી કુલ બાર ભેદને ઉલ્લેખ થયો છે,811 પખંડાગમમાં ઉક્ત બાર ભેદને શબ્દતઃ ઉલ્લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy