SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન પાછળના ભાગમાં રાખતા પાછળના ભાગને પ્રકાશિત કરે છે, તેમ જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની પાછળની દિશાને પ્રકાશિત કરે છે તેને માર્શતઃ અંતગત કહે છે. (૩) પાર્વત: અંતગત :- જિનદાસગણિને અનુસરીને મલયગિરિ પાશ્વત: અથ ડાબી કે જમણી તરફ એવો કરે છે નંદિ અનુસાર જેમ દીપકાદિ પ્રકાશક પદાર્થોને એક બાજુમાં રાખવાથી એક બાજુના પદાર્થોને જોઈ શકાય (ક) છે, તેમ જે અવધિજ્ઞાન ડાબી કે જમણી તરફના પદાર્થોનું જ્ઞાન કરાવે છે તેને પાર્વતઃ અંતગત કહે છે. (૨) મધ્યગત :- નંદિના ટીકાકારોએ અંતગતની જેમ મધ્યગતનાં પણ ત્રણ અર્થધટને આપ્યાં છે : આત્મપ્રદેશમધ્યગત, દારિક શરીર મધ્યગત અને ક્ષેત્ર મધ્યગત. ૧૦૦ નંદિ અનુસાર જેમ મસ્તક ઉપર રાખેલા દીપક આદિ પ્રકાશક પદાર્થને પ્રકાશ ચારે તરફ રેલાયા°(ક) છે, તેમ જે અંવધિજ્ઞાનીની ચારે ય તરફના પદાર્થોનું જ્ઞાન કરાવે છે તેને મધ્યગત અવધિ કહે છે. (આ) ધવલાગત પ્રભેદો :- વખંડાગમની ધવલાટીકામાં ક્ષેત્ર અને ભાવના સંદર્ભમાં આનુગામિકના ત્રણ પ્રભેદો ઉલ્લેખ છે: ક્ષેત્રાનુગામી, ભવાનુગામી અને ક્ષેત્રભવાનુગામી જે અવધિજ્ઞાન સ્વ અને પર ક્ષેત્રમાં અવધિજ્ઞાનીની સાથે વનય છે તે ક્ષેત્રાનુગામી છે; જે અવધિજ્ઞાનીના મૃત્યુ પછી અન્યભવમાં તે જીવને અનુસરે છે તે ભવાનુગામી છે અને જે ક્ષેત્ર અને ભવ બનેમાં અવધિજ્ઞાનીને અનુસરે છે, તે ક્ષેત્રભવાનુગામી છે. 1 = 1 (ખ) અનાનુગામિક : પૂર્વે અપાયેલી સમજૂતી અનાનુગામિક અવધિ સ્વઉત્પત્તિ ક્ષેત્રથી અન્યત્ર સ્થળે અવધિજ્ઞાનીને અનુસરતું નથી.12 નંદિમાં જણાવ્યા અનુસાર તે સંબદ્ધ કે અસંબદ્ધ હોઈ શકે છે અને તેનું ક્ષેત્રપ્રમાણ સંખ્યય કે અસંખેય હોય છે.1૦૩ આવશ્યક નિયુક્તિ અનુસાર જે અવધિજ્ઞાન લેક પુરતું મર્યાદિત હોય તે તે સંબદ્ધ ક અસંબદ્ધ હોઈ શકે છે, પરંતુ જો તે એક સાથે સંકળાયેલું હેય તે તે અવશ્ય સંબદ્ધ હોય છે. ૫૦ % જિનભદ્ર, મલધારી હેમચન્દ્રસૂરી અને મલયગિરિએ કરેલી સ્પષ્ટતા અનુસાર વચ્ચે વ્યવધાન ન હોય તે પરિસ્થિતિમાં જેમ બળતા દીપકની સાથે તેની પ્રભા સંબદ્ધ હોય છે, તેમ જે અવધિજ્ઞાન છવ સાથે સંબદ્ધ હાય અર્થતા અવધિક્ષેત્રને સળંગ પ્રકાશિત કરે, તેને સંબદ્ધ અવધિ કહે છે, પરંતુ જ્યારે ઓરડામાં બળતા દીપકની પ્રભા એારડાની બહારના અંધકારને ભેદીને સામેની દીવાલને પ્રકાશિત કરે છે, ત્યારે પ્રકાશ > અંધકાર – પ્રકાશ એવી સ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં જેમ દીપપ્રકાશ દીપ સાથે સંબદ્ધ હોત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy