SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૨૧૫ પૂજ્યપાદે ભવને અવધિનું પ્રધાન કારણ કહ્યું છે.11 અકલંકને અનુસરીને વિદ્યાનંદ કહે છે કે, ભવપ્રત્યયની પ્રાપ્તિ માટે ભવ અને પશમ એમ જે બે કારણે સ્વીકાર્યા છે, તે યુક્તિસંગત છે, કારણ કે ક્ષયે પશમને કારણ તરીકે સ્વીકારવાથી દેવનારકને જે ઓછું વધતું અવધિજ્ઞાન થાય છે, તેની સંગતિ બેસી શકે છે. 72 ઉપરાંત તેઓ એવી પણ સ્પષ્ટતા કરે છે કે, ઉક્ત બન્ને કારણે વચ્ચે પારસ્પરિક વિરોધ નથી, કારણ કે એક કક્ષાનાં કારણો વચ્ચે વિરોધ હોઈ શકે, જયારે અહીં એક બાહ્ય કારણ છે અને બીજુ અંતરંગ કારણ છે.” ગુણપ્રત્યય : નંદિસૂત્રકાર ક્ષયોપશમને વ્યુત્પત્તિજન્ય અર્થ આપ્યા પછી અથવા કહીને ગુણપ્રતિપન્ન પુરુષને અવધિ પ્રાપ્ત થવાની' વાત કરે છે. મેં એને અર્થ એમ થાય કે આ પ્રકારના અવધિ માટે મૂલગુ કારણભૂત છે, જેનું સમર્થન જિનભદ્ર, હરિભક, મલયગિરિ આદિ આચાર્યોએ કર્યું છે.? 5 પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે પ્રસ્તુત અવધિ તપ, સંયમ આદિ મૂલગુણવાળી સંજ્ઞી અને પર્યાપ્ત મનુષ્યતિયોને હોય છે. અસંસી અપર્યાપ્ત મનુષ્યતિય"ને હેતું નથી.7 6 પ્રસ્તુત અવધિ માટે પ્રયોજાયેલા ક્ષાપશમિક અને ગુણપ્રશ્ય એમ બે શબ્દોમાં ગુણપ્રત્યય શબ્દ સ્વયંસ્પષ્ટ છે, જયારે ક્ષાપશમિક શબ્દને સમજાવવાની જરૂર ઊભી થઈ છે, કારણ કે પશમ અવધિપ્રાપ્તનું અંતરંગ કારણ હોવાથી તે ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એમ બનેમાં અસ્તિત્વ ધરાવે છે. આ મુશ્કેલી જેના ચાર્યોના ધ્યાનમાં આવી હોવાથી તેમણે પ્રસ્તુત શબ્દની જુદી જુદી રીતે સમજૂતી આપી છે : જેમકે પૂજ્યપાદને અનુસરીને અકલંકે એવી સંગતિ બેસાડી છે કે, મનુષ્યતિય એને અવધિની પ્રાપ્તિ માટે ભય નહિ, પરંતુ ક્ષય પશમ જ કારણભૂત છે, તેથી તેને ક્ષાયોપથમિક કહ્યું 17 છે જ્યારે વિદ્યાનંદે ક્ષાપશમિક શબદના (૧) તદાવરણના ક્ષયોપશમવાળું અને (૨) જેનું બાહ્યનિમિત્ત ક્ષાયિક, ઔપશમિક તેમજ ક્ષાયોપથમિક સંયમ છે તે, એમ બે અર્થો આપીને બને અર્થના સંદર્ભમાં ક્ષાપશમિક શબ્દની સંગતિ બેસાડી છે. જેમકે પ્રથમ અર્થાનુસારી ક્ષયે પશમ મત્યાદિ ચાર જ્ઞાનેનું અંતરંગ કારણ છે અને દ્વિતીય અર્થાનુસારી ક્ષય પશમ ગુણપ્રત્યય અવધિનું બહિરંગકારણ છે એમ બને અર્થો ક્ષયોપશમ શબ્દ દ્વારા અભિપ્રેત છે. 8 (૫) આગામિક-અનાનુગામિક, પ્રતિપાતિ-અપ્રતિપાતિ : તત્વાર્થ માં જણાવ્યા અનુસાર જેમ સૂર્યને પ્રકાશ સૂર્યને અનુસરે છે અને ઘડાની લાલાશ ઘટને અનુસરે છે, તેમ જે અવધિજ્ઞાન અવધિજ્ઞાની જ્યાં જ્યાં જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy