SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મુતાન ૧૧ કે મૃત શબ્દને સંકુચિત પારિભાષિક અર્થ આગમભિન્ન અર્થ પરક પણ હતે. પ્રાચીન જેનપરંપરામાં મતિ અને શ્રુતને ખ્યાલ હતો, એ વિષેની વિચારણું મતિજ્ઞાનના પ્રકરણમાં થઈ ચૂકી છે. (૪) શ્રુતભેદ : ભગવતીસૂત્રમાં થયેલા કલિકશ્રુતને ઉલ્લેખ સૂચવે છે કે, તે કાળમાં શ્રુતના ભેદો તરફની વિચારણા શરુ થઈ ચૂકી હતી ઉત્તરાધ્યયનમાં આદિ-અનાદિ, સાયવસિત-અપર્ણવસિત આદિ વિક કાળની વિચારણામાં જોવા મળે છે, જે પછીના કાળમાં શ્રુતને લાગુ પાડવામાં આવ્યા. આથી એ શ્રુતભેદોનું મૂળ ઉત્તરાધ્યયનની ઉકત વિચારણમાં જોઈ શકાય. નંદિગત અંગપ્રવિષ્ટ અને અંગબાહભેદ તેમજ તેના આવશ્યક આદિ સ્થાનાંગમાં 5 મળે છે, પરંતુ સંભવ છે કે એ બે નંદિ પછી સ્થાનાંગમાં ઉમેરાયા હોય. એ પછીના કાળમાં પ્રાપ્ત થતા ભેદો અંગે ચાર પરંપરાઓ જોવા મળે છે ઃ અનુગાર, નિયુક્તિ, પખંડાગમ અને તત્વાર્થ. અનુયોગદ્વારમાં ઉલ્લેખાયેલા દ્રવ્યશ્રુતમાં શ્રુતજ્ઞાનીના શરીરને અને સૂત્ર શબ્દ કૃતને પર્યાય બનાયે હોવાથી રેશમ, શણુ આદિ વિવિધ પ્રકારનાં સૂતરોને અંતર્ભાવ થયો છે, જેની સુચના નિયુક્તિમાં પણ મળે છે.20ક અનુગદ્વાગત ભાવકૃતના એક ભેદ લૌકિકથ્થત ભારત આદિને અને દ્વિતીયભેદ કેત્તરશ્રત આચારાંગ આદિને નંદિમાં અનુક્રમે મિથ્યાશ્રુત અને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવ્યા છે. 27 અનુગદ્વારગત શ્રુતના આગમતઃ અને આગમત: ભેદ 28 નિયુકિત આદિ ત્રણમાં પ્રાપ્ત થતા નથી. નિયુકિત અને ષટ્રખંડાગમમાં શ્રુતભેદની વિચારણું બે દષ્ટિએ થઈ છે? (૧) અક્ષરની દષ્ટિએ (૨) અને અક્ષરભિન્ન દષ્ટિએ. ૧) અક્ષરની દૃષ્ટિએ બને પરંપરામાં પ્રાપ્ત થતી વિચારણામાં ભેદ એ છે કે, નિયુકિતકાર અક્ષરની દષ્ટિએ પ્રાપ્ત થતા ભેદને અસંખેય માને છે, જ્યારે ખંડાગમ પરંપરા એ ભેદને સંય માને છે 29 (૨) નિબુકિત પરંપરા અક્ષર, સી, આદિ સાત દષ્ટિએ ચોદ ભેદને ઉલ્લેખ કરે છે, પખંડાગમ પરંપરા પ્રમાણની દષ્ટિએ પર્યાય આદિ વીસ ભેદ ઉલ્લેખે છે અને તત્વાર્થ પરંપરા નિયુકિતગત ચૌદ ભેદમાંના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદને જ સ્વીકારે છે. અલબત્ત, અલંક અક્ષર-અનારને પણ ઉલ્લેખ કરે છે.૪૦ નંદિકાર અને જિનદાસગણિ, ૧૧.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy