SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રુતજ્ઞાને વ્યુત્પતિજન્ય અર્થ સાંભળેલું અને વિશિષ્ટ અર્થ આત પાસેથી સાંભળેલું કે શ્રતાનુસારી શબ્દાનુવિદ્દધ જ્ઞાન થાય છે. આપ્ત પાસેથી સાંભળેલું એ અર્થમાં, પ્રાચીન કાળમાં, વૈદિક પરંપરામાં વેદોને અતિ તરીકે, જૈનપરંપરામાં આગમને શ્રત તરીકે અને બોદ્ધ પરંપરામાં ત્રિપિટકને અત, મામ અથવા વાઢિ તરીકે ઓળખવામાં આવ્યા છે. જૈનમત અનુસાર શ્રુત બે પ્રકારનું છે : દ્રવ્યબુત અને ભાવથુત. ઉપયુકત આગમ વ્યકૃત છે. પરંતુ જ્ઞાનવિચારણામાં દ્રવ્યશ્રુતને અવકાશ નથી. આથી જ્યાં જ્યાં શ્રુતજ્ઞાન તરીકે કોઈ ગ્રંથનો ઉલ્લેખ હોય ત્યાં ત્યાં તે ગ્રંથજન્ય જ્ઞાન અભિપ્રેત છે, તેમ સમજવાનું છે. બૃહદારણ્યક ઉપનિષદ્દમાં શ્રતને જ્ઞાનના એક સાધન તરીકે ઉલ્લેખ્યું છે. (મારા વા એરે શ્રોતા મતો નિરિકાશિતવ્ય :... બૃહ૦ ૨૪–૫, ઉદ્દધૃત શાહનાં પૃ૦૧). અહીં જણાવેલા સાધનભૂત શ્રતને અને તજજન્યજ્ઞાનને અનુક્રમે જેનસંમત દ્રવ્યયુત અને ભાવથુત સાથે સરખાવી શકાય. (ર) શ્રતનું પ્રામાણ્ય : ચાર્વાક સિવાય બધાં જ ભારતીય દર્શનએ શબ્દપ્રમાણનું મહત્ત્વ સ્વીકાયું છે. મતભેદે માત્ર એ મુદ્દા ઉપર છે કે તેને સ્વતંત્ર પ્રમાણે ગણવું કે અનુમાન રૂપ ગણવું?' સાંખ્ય દર્શન આપ્તનાં વચનને (અપૌરુષેય વેદ, વેદમૂલક સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ) શબ્દપ્રમાણુ માને છે. જેનપરંપરા પણ સ્વ આગમને પ્રમાણ માને છે. યોગદશન આપ્ત પુરુષના શબ્દો સાંભળીને શ્રોતાના ચિત્તમાં શબ્દપ્રતિપાદિત અર્થની જે યથાર્થવૃત્તિ ઉદ્દભવે છે તેને આગમ પ્રમાણુ કહે છે, ' જેને જૈનસંમત સમ્યક્દષ્ટિવાળા જીવની ભાવશ્રુત સાથે સરખાવી શકાય. ન્યાય. મીમાંસા, વેદાન્ત5 અને જૈનદર્શન આગમને સ્વતંત્ર પ્રમાણુ ગણે છે, જ્યારે વૈશેષિક અને બૌદ્ધ દર્શન તેને અંતર્ભાવ અનુમાનમાં કરે છે. આથી તેઓની માન્યતાનું ખંડન કરીને જેનદશન આગમને સ્વતંત્ર પ્રમાણ સિદ્ધ કરે છે.” (૩) આગમમાં શ્રુત શબ્દનો ઉપયોગ : જેન આગમોમાં ઉલ્લેખાયેલા વદુકૃત, 10 અનુશ્રુત, 11 મહોબ્રુત, 12 છતષ, 13 શ્રમણJq, * સૂત્રકૃત, 15 મ91, 16 શ્રુતમ આદિ શબ્દ કૃત સાથે સંબંધ ધરાવે છે. શત શબ્દ સાંભળેલું, 17 શાસ્ત્ર, 18 આગમ 19 શ્રુતજ્ઞાન, 2૦ અને પાપગ્રુત 21 આદિ અર્થોમાં પ્રયોજાય છે. ભગવતીસૂત્રમાં 22 વ્યવહારના પાંચ ભેદમાં આગમ અને શ્રુતને ઉલ્લેખ હોવાથી એમ માનવું પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy