SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૭૯ (કરુણસહિતાના નવે) રસોની પ્રતીતિનો સાર ચમત્કાર જ છે, તેથી તે પ્રતીતિ સુખરૂપ જ છે. એટલે પૂર્વપક્ષીએ આપેલ દૃષ્ટાંત પણ સ્વીકાર્ય નથી. તેથી “પ્રસાદ’ એ તો (ચિત્તના) ‘વિકાસ’નો હેતુ છે. આ વાત આનંદવર્ધન અભિનવગુપ્ત અને મમ્મટને સ્વીકાર્ય છે. હેમચન્દ્ર વામનીય મત ધરાવનારાઓનું જે ખંડન કર્યું તે મમ્મટમાં કે અન્યત્ર વાંચવા મળતું નથી; તે તેમની પોતાની જ વિચારધારા છે. હવે વામને અર્થગત “પ્રસાદ” ગુણને “વૈમલ્ય” (કા.સૂ.વૃ. ૩/૨/૩) તરીકે સમજાવ્યો છે. વૈમલ્ય' એટલે, (અભિપ્રેત અર્થના) પ્રયોજક એવા (જ) પદોનું ગ્રહણ” એમ વામનનો અભિપ્રાય જણાય છે. હેમચન્દ્ર જણાવે છે કે “પ્રયોજક પદનું ગ્રહણમાત્ર'તો “અધિકાદ–' નામે દોષના પરિહારથી જ સિદ્ધ થઈ જાય છે. એવું અમે સ્વીકારેલું જ છે. આમ, વામનનો અર્થગત પ્રસાદ તો ‘દોષાભાવમાત્ર’ છે, સ્વતંત્ર “ગુણ’ નહિ. ‘શ્લિષ્ટ અંગે હવે ભારતનો મત દર્શાવતાં આચાર્યશ્રી જણાવે છે કે, ભરતને મતે સ્વભાવથી સ્પષ્ટ છતાં વિચારમાં ગહનતાવાળું વચન તે થયું ‘શ્લિષ્ટવચન.” ભરત નાટ્યશાસ્ત્ર ૧૬/૧૭(આ. એજન)માં જે લક્ષણ અપાયું છે તેનો સાર આચાર્ય આપે છે. (દરતના પોતાના શબ્દો આ પ્રમાણે છે. ईप्सितेनार्थजातेन संबद्धानां परस्परम् । શ્નષ્ટતા યા પાનાં સ શ્લેષ રૂત્યમથીય (૨૬/૧૭ ના. શા.) એના ઉપર અભિનવભારતી આ પ્રમાણે છે : (પૃ. ૩૩૪, એજન) “તત્ર શ્લેષમાદ - ईप्तितेनार्थजातेनेति। अर्थभागानां कविसमुत्प्रेक्षितया परस्परसंबद्धया योजनया संपन्नं यदीप्सितमर्थजातं तेनोपलक्षितार्थस्योपपद्यमानस्योपपद्यमानतात्मा गुणः श्लेषः ।" ચર્ચા આગળ ચલાવીએ તે પહેલાં આપણે નોંધીશું કે કાવ્યાનુશાસન અધ્યાય ૭ અને ૮માં હેમચન્દ્ર જ્યાં ભારતના મતનો સંપૂર્ણ સ્વીકાર કર્યો છે તે નાટ્યશાસ્ત્રીય વિગતોમાં તેમણે ભારતના પોતાના શબ્દો મૂળ રૂપે ઉદ્ધત કર્યા છે, જે અમારા પૂ. ગુરુ ડૉ. કુલકર્ણી સાહેબ અને પૂ. પરીખ સાહેબે પોતાની સમીક્ષિત આવૃત્તિમાં જે તે રૂપે ઓળખી બતાવ્યા છે, જ્યારે અહીં, અર્થાત “ગુણ’ વિચારના સંદર્ભમાં, જે કાવ્યશાસ્ત્રીય મુદ્દો છે, તેમાં કેમ કે, આચાર્યશ્રી ભરત જોડે સંમત નથી થતા, તેથી તેમણે ભારતના મૂળ શ્લોકોનો માત્ર સાર, અલબત્ત સાચો અને પ્રમાણિક, પોતાના વિવેકમાં' આપ્યો છે. હેમચન્દ્ર પોતાની રીતે આ નિરૂપણમાં સાચા જ છે અને ખરેખર તો આનંદવર્ધનના વિચારોના પ્રધાન પ્રવર્તક અભિનવગુપ્તાચાર્યે પોતાની નાટ્યશાસ્ત્ર ઉપરની “અભિનવભારતી' ટીકામાં ભારતના દસ ગુણોના વિચારનું આનંદવર્ધનની દૃષ્ટિએ ખંડન કરવું જોઈતું હતું તે નથી કર્યું અને માત્ર તટસ્થ રીતે ભારતના મતને સમજાવ્યો છે તે આપણને સમજાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy