SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા વિવેક, એજન)માં. ' હવે દંડીના ઉપરિનિર્દિષ્ટ અભિપ્રાય સામે આચાર્ય હેમચન્દ્ર વામન અને મંગલનો અભિપ્રાય ટાંકે છે કે, કેમ કે, ઓજોગુણ ત્રણે રીતિઓમાં સર્વસાધારણ રીતે રહેલો છે, માટે કેવળ ગૌડીયરીતિ વિશેનો ઓજોગુણનો નિર્દેશ યુક્તિસંગત જણાતો નથી. તેથી વામનને મતે (કા. સૂવું. ૩/૧/૧/૫) ઓજનું લક્ષણ છે. “હત્વે મોગ:' અર્થાત્ (વસ્તુનિરૂપણમાં) સુસંબદ્ધતા એ જ ઓજસ છે. આનું ઉદાહરણ હેમચન્દ્ર વિવેકમાં (શ્લોક ૪૦૫, એજન) મર્મવર્ષ વગેરે શ્લોક ટાંકીને આપે છે . આ શ્લોકમાં શિવજીનું વર્ણન છે, ઓજોગુણ બીજી રીતિમાં પણ જોવા મળે છે, કેવળ ગૌડીયા' રીતિમાં જ નહિ, હેમચંદ્ર વામનના આ વિચાર ઉપર કટાક્ષ કરતાં કહે છે “ઓજોગુણ' અંગે કંઈક નવો હેતુ વિચારવો જોઈએ કેમ કે, “ગાઢત્વ' એકલું પરિશુદ્ધ રૂપમાં તો કદાચ, ઓજસ્ માટે હાનિકારક પણ જણાય. આનું (= ઓજસ માટે ગાઢત્વ હાનિકારક જણાય છે તેનું) ઉદાહરણ છે, “ વ ન્ત ” વગેરે શ્લોક (નં. ૪૦૬, વિવેક, એજન); આથી “ગાઢત્વ' એટલે ઓજસ એ અભિપ્રાય ટકતો નથી. વામનનો આ શબ્દગત - ઓજોગુણનો ખ્યાલ હતો. હવે તેમનો અર્થગત - ઓજોગુણનો ખ્યાલ હેમચન્દ્ર તપાસે છે, તે પ્રમાણે “મર્થી પ્રૌઢિોનઃ' (અર્થાતુ) ઓજોગુણ અર્થની પ્રૌઢતામાં રહેલો છે, (કા. સૂ. વૃ. ૩/૨/૨) તે પ્રમાણે પદગત અર્થ નિરૂપવા માટે વાકાનો પ્રયોગ, અથવા વાકય-ગત અર્થ નિરૂપવા ફક્ત પદનું કથન - આ પ્રકારે વિસ્તાર | સંકોચ -“વ્યાસ અને સમાસ' તે જ અર્થગત પ્રૌઢિ છે; હેમચન્દ્ર જણાવે છે કે આ પ્રકારની અર્થગત પ્રૌઢિ તો (નિરૂપણગત) શોભાયાત્રા | વૈચિત્ર્યમાત્ર છે. હેમચન્દ્ર અહીં મમ્મટનો અભિપ્રાય જ અનુરણિત કરે છે. ઓજસ જો “પપ્રાથત્વમત્ર” જ હોય, અર્થાત “સાર્થ અભિવ્યક્તિ માત્ર’ હોય તો તો તે અપુષ્ટાર્થ નામે દોષના અભાવરૂપ જ બની રહેશે. આમ તે સ્વતંત્ર ગુણ તરીકેના સ્વીકારને પાત્ર નથી. હેમચન્દ્ર વાસ્તવમાં આ “સમપ્રયત્વે :” એવા વિધાનની ઠેકડી ઉડાવતાં કહે છે, “મો: સયા: | અર્થો ન: તfપ્રાય: રૂતિ ય ભાષા ?” (વિવેક પૃ. ૨૦૬ એજન) અરે સહૃદ્યો ! અર્થ “જડ' છે ત્યારે એનું “સાભિપ્રાયત્વ કહેવું એ તે કેવી વાત ? અર્થાત્ એક વિગતને જડ કહેવી અને પછી એના અભિપ્રાયત્વની વાત કરવી તેમાં વદતોવ્યાઘાત રહેલો છે. હેમચન્દ્ર આગળ જણાવે છે કે, “જો આ (=સાભિપ્રાયત્વ), ને કોઈ વક્તા કે શ્રોતા સાથે સંબંધ છે એમ કહો તો “તેને વિશેનો (ઋતત્ત:) અર્થનો ગુણ” એવું કયાંથી શક્ય બને ? હવે જો એમ કહો કે અન્ય વસ્તુનો આક્ષેપ તે જ તેનો ગુણ છે, તો તે અન્ય વસ્તુનો આક્ષેપ તે વક્તાના અભિપ્રાયરૂપ જ છે અને તે તો કવિ વ્યાપારના બળથી જ સિદ્ધ થાય છે. તે સિવાય તેના નિરૂપણની શક્યતા નથી. આમ ‘પ્રૌઢિ' વાસ્તવમાં વક્તામાં રહેલ (ધર્મ) છે એનો “અર્થ” વિશે ભલે (બહુ બહુ તો) ઉપચાર કરવામાં આવે ! તો વધારે ચર્ચાથી બસ ! | હેમચન્દ્ર હવે પોતાનું ધ્યાન પ્રસાદ' ગુણ તરફ વાળે છે. ભરત પ્રમાણે “પ્રસાદ” ગુણ એટલે વિભક્તિ, વાઢે(=અર્થ) અને વાચક(-શબ્દ)ના યોગથી અનુક્ત એવા શબ્દ અને અર્થની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy