SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ કાવ્યાનુશાસન છે. અલબત્ત, ક્યાંક થોડો શબ્દફેર અથવા ક્યાંક મહિમાના થોડા શબ્દો ગાળી નાખીને થોડો સંક્ષેપ સધાયેલો જણાય છે. આગળ ચાલતાં મહિમાને અનુસરતાં આચાર્ય નોંધે છે કે, જ્યારે કેવળ ‘તત્ નું (તવ) ગ્રહણ થાય છે, ત્યારે ‘આર્થ’ (આક્ષેપ) ત્રણ પ્રકારનો બને છે, કેમ કે ‘તત્’ ત્રિવિધ છે. પ્રસિદ્ધ’ (વસ્તુ) વિષયક, અનુભૂતવિષયક, અને ઉપક્રાન્તવિષયક. પ્રસિદ્ધાર્થવિષયક જેમ કે, ‘યંગŕ' વગેરેમાં, અનુભૂત વિષયક જેમ કે, ‘તે તોષને પ્રતિવિશં’ વગેરેમાં, અને પ્રક્રાન્ત-વિષયવાળો જેમ કે, ‘વાતર્થ વના નીતિ' વગેરે(શ્લોક ૩૫૬, એજન)માં. અહીં મહિમાએ આપેલાં વધારાનાં ઉદાહરણો હેમચન્દ્ર છોડી દે છે. વળી, એક ચોથો પ્રકાર પણ કેટલાકને મતે સંભવે છે, એવું નોંધીને મહિમા વળી બીજાં બે ઉદાહરણો ચર્ચે છે, જે હેમચન્દ્ર અહીં છોડી દે છે અને જે બે તેઓ પાછળથી ટાંકે છે. આમ, મહિમાની ચર્ચા ઉદ્ધૃત કરવામાં હેમચન્દ્ર વિસ્તાર-સંકોચનો પોતાનો ‘વિવેક’ બતાવે છે. આચાર્ય તે પછી, ફરી વ્યક્તિવિવેક પૃ. ૨૦૨ પ્રમાણે ‘ત્’ના બે આર્થ પ્રકારો વિચારે છે. (શ્લોક ૩૫૬, વૃત્તિ, એજન) તેઓ જણાવે છે કે, ‘ત્’નો ઉત્તરવાક્યાર્થમાં ગૃહીત હોય એ રીતે ઉપાત્ત અર્થ સાથે સંબંધ થાય છે, ત્યારે પૂર્વવાક્યગત ‘તત્’ શબ્દનો અર્થથી આક્ષેપ થાય છે. જેમ કે ‘સાધુ વન્દ્રસિ॰' (શ્લોક ૩૫૭) વગેરેમાં. ‘ય' શબ્દ જ્યારે પહેલાં ગૃહીત થાય છે ત્યારે તો ‘તત્’ના ગ્રહણ વગર સાકાંક્ષ જ રહે છે. જેમ કે, આ જ ઉદાહરણમાં આગળનાં બે પદોનો વિપર્યય કરીએ તો તે જોવા મળે. હવે મહિમાએ ‘તત્’ના ત્રૈવિધ્યની ચર્ચા પછી જે હવે, ચોથો વિકલ્પ કેટલાકને મતે થાય છે એમ નોંધ્યું છે (વ્યક્તિવિવેક પૃ. ૨૦૦, એજન), તે આચાર્યશ્રી ‘'ની ચર્ચા પૂરી કરીને પાછળથી આપે છે. અલંકારચૂડામણિ નોંધે છે કે, ક્યારેક બન્ને(= ત્, તત્ )નું ગ્રહણ થતું નથી ત્યારે આક્ષેપથી તેમને સમજી લેવાય છે, જેમ કે, ‘જે નામ િિદ ન૦' વગેરે (શ્લોક ૩૫૮)માં. આ ઉદાહરણ મહિમા પ્રમાણે જ છે. અહીં, ‘એવો કોઈ ઉત્પન્ન થશે જેને વિશે મારો પ્રયત્ન સફળ થશે' - આમ બન્ને(= યત્, તત્)નો અર્થ દ્વારા આક્ષેપ થાય છે. આ શ્લોકનો ભાવાર્થ આચાર્ય વિવેકમાં (પૃ. ૨૪૬, ૭ એજન) ઉમેરે છે, જેને શાસ્ત્રચર્ચા સાથે નિસબત નથી. ત્'નો બે પ્રકારનો આર્થ પ્રયોગ હોય એવી ચર્ચા મહિમાએ (પૃ. ૨૦૨-૨૦૫, વ્યક્તિવિવેક એજન) કરી છે, એ આચાર્યે કેમ છોડી દીધી છે તે સમજાય તેવું નથી. આનાથી શાસ્ત્રચર્ચામાં થોડી ઊણપ જરૂર આવી જાય છે. આચાર્ય તો, યે નામ વગેરેની અલંકારચૂડામણિમાં ચર્ચા કર્યા પછી નોંધે છે કે, આમ હોતાં ‘તત્' શબ્દના અ-ગ્રહણથી અહીં સાકાંક્ષત્વ છે. एवं च स्थिते तच्छब्दानुपादानेऽत्र साकाङ्क्षत्वम् । આ પછી મહિમાએ ‘અવસ્’ શબ્દને ‘ત'નો અભિન્નાર્થક માનીએ Jain Education International For Private & Personal Use Only શું થાય – એ અંગે - www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy