SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાનુશાસન એ પછી, મહિમાના વિભક્તિ-પ્રક્રમભંગનો (વ્યક્તિવિવેક, પૃ. ૨૯૭, એજન) નામોલ્લેખ કર્યા વગર જ એનું એ જ ઉદાહરણ, જેમ કે, ‘ધૈર્યેળ વિશ્વામ્યતા૦’(શ્ર્લોક ૨૬૨, એજન) વગેરે હેમચન્દ્ર ટાંકે છે. અહીં ‘તીવ્રેળ વિદ્વષિમુવાસા ચ' એમ પાઠ રાખવો જરૂરી છે, તથા ‘વિદ્વત્તુ વીર્ય સર્ચ મોનઃ' એવો પાઠ જરૂરી છે. મૂળ ‘તીવ્રત્’ અને ‘તે’માં વિભક્તિપ્રક્રમદોષ આવે છે. એ જ રીતે, ‘વમૂવ ભÊવ.' (શ્લોક ૨૬૩, એજન) વગેરેમાં પણ ‘ગિનથૈવ યુતમાવ:-'ને સ્થાને ‘નેન્દ્રપર્મવ યુક્તમત્સ્ય' એવો પાઠ રાખવાથી વિભક્તિપ્રક્રમભેદ ટાળી શકાશે. આ ઉદાહરણ પણ વ્યક્તિવિવેક (પૃ. ૨૯૮, એજન) પ્રમાણે જ છે. ૫૦ આચાર્ય હેમચન્દ્રે મહિમભટ્ટે આપેલા પેટા પ્રકારોના નામોલ્લેખ મહિમા પ્રમાણે નથી કર્યા એટલું જ નહિ, પણ જે ક્રમમાં વ્યક્તિવિવેકમાં પેટાભેદો ચર્ચાયા છે, તે ક્રમ પણ સાચવ્યો નથી. આનાથી કોઈ નવીનતા કે મૌલિકતા તેઓ સાધી શક્યા નથી જ, એ નિર્વિવાદ છે. અલબત્ત, મમ્મટને મુકાબલે મહિમાના વિશેષ અવલંબનને કારણે વિસ્તાર વધારે થયો છે. કાલ વિશેષ-પ્રક્રમભંગ(વ્યક્તિવિવેક, પૃ. ૩૦૧, એજન)નો નામોલ્લેખ કર્યા વગર જ મહિમાનું જ ઉદાહરણ ‘મનુઃ વચ:૦’ ય:'(શ્લોક ૨૬૪, એજન)વગેરે હેમચન્દ્ર ટાંકે છે. અહીં શ્રુત્તિસં ધૃવિવાિિવસપ્રસૂનાઃ ને સ્થાને વિષમસ્ય વધુ: પ્રસૂનમ્ એમ વાંચવું વધુ યોગ્ય છે. મહિમા એમ વિચારે છે કે અહીં ‘સસ્તુ” દ્વારા (ત્તિત્તર) પરોક્ષ ભૂતકાળ શરૂ કર્યો છે ને ‘નેનન’ વગેરેમાં ‘અનેનિનુ’ વગેરેમાં અનદ્યતન ભૂતકાળ વાપરી બદલી નાખ્યો છે. તેથી કાવિશેષ અંગેનો પ્રકમ ભંગ પણ આવે છે. પણ હેમચન્દ્ર વિવેકમાં (પૃ. ૨૧૭, એજન) આનો અસ્વીકાર કરતાં જણાવે છે કે, કાલવિશેષ કેવળ વિવક્ષામાત્રભાવી છે. જેથી અનવસ્થિત હોવાથી આ દોષ કલ્પવાની જરૂર નથી. આચાર્યને મતે તો આ ઉદાહરણ ‘પ્રસૂના’માં વિભક્તિ-પ્રક્રમભેદનું છે, જે ‘નૂનમ્' વગેરે પાઠફેર કરવાથી દૂર થાય છે. જો કે, મહિમભટ્ટ પોતે જ જણાવે છે (પૃ. ૩૦૨, એજન) કે, ‘અથવા, આ દોષ માનવો જોઈએ નહિ; કારણ કે, કાલમાં વિશેષતા ફક્ત (કવિ) વિવક્ષાથી જ આવે છે. આથી એવો કોઈ નિશ્ચિત નિયમ નથી હોતો. જેમ કે, કહ્યું છે કે, (પતંજલિ, મહાભાષ્ય) ‘પરોક્ષ વિગત જે પ્રત્યક્ષ નથી તેવી વિગત) લોકોમાં વિજ્ઞાત હોય, પ્રયોગ કરનાર તેને જોઈ શકતો હોય, તો તે (પ્રયોજનાર માટે) દર્શનયોગ્ય હોઈ પરોક્ષની વિવેક્ષા ન હોવાથી, ‘ત' અનઘતનભૂતનો જ પ્રયોગ કરાય છે. જેમ કે, ‘પ્રયત્ નયન્તઃ ભૂતાનિ આ સિવાય પરોક્ષતર અથવા દર્શનની અવિષયતા હોવાથી અથવા ન હોવાથી પણ અવિવક્ષા થાય છે, જેમ કે, ‘અનુવા ન્યા કૃતિ'. અહીં ‘અગય’માં પરોક્ષ જય પણ દર્શનયોગ્ય હોવાથી પરોક્ષરૂપે મનાયો નથી, તેથી ‘નિર્’ લકારનો પ્રયોગ નથી થયો; વિદ્યમાન વસ્તુની પણ અવિવક્ષા થાય છે તેનું ઉદાહરણ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy