SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ કાવ્યાનુશાસન અને “કંથનમ' એ બને ઉન્મેક્ષિત કરાયાં છે. તેમાં પ્રાધાન્યને કારણે રોદનના અભિધાયક પદ પછી જ ઉભેંક્ષાવાચક પદ પ્રયોજવું જોઈએ. તે અન્યત્ર પ્રયોજાયું છે તેથી “અસ્થાનસ્થપદ’ દોષ આવે છે. પ્રધાન વિગત ઉન્મેક્ષિત ન થતાં તે સિવાયનું બીજું અર્થમાંથી આપોઆપ જ ઉભેક્ષિત થઈ જાય છે, જેમ કે કહ્યું છે કે, 'एकत्रोत्प्रेक्षितत्वेन यत्रार्था बहवो मताः ।। ‘તવાફ પ્રયો: પ્રઘાનાવ નાચથી '' (પૃ. ૨૧૩, એજન) હેમચન્દ્ર મમ્મટને મુકાબલે અસ્થાનસ્થપદત્વનો વિસ્તારથી વિમર્શ કર્યો છે પણ તેઓ અને મમ્મટ બન્ને મહિમાના નિરૂપણને નજરમાં રાખીને જ આગળ વધે છે. વાસ્તવમાં બહિરંગ દોષોના વિમર્શમાં તેમ કર્યા વગર છૂટકો જ નથી. મમ્મટની દોષ વિચારણાની આચાર્ય સૂક્ષમ સમીક્ષા કરતા જ રહે છે. આ વિગત ઉપર નોંધ્યું તેમ “અક્રમત્વ'ને પૃથગ્દોષ ન ગણવો એ મુદામાં સ્પષ્ટ થાય છે. આવી જ રીતે, મમ્મટે ગણાવેલ અર્ધાન્તકવાચકત્વ દોષને પણ આચાર્ય પૃથગુ દોષ તરીકે સ્વીકારતા નથી. એ પછી, “તત્રત્વ'ની ચર્ચા આચાર્ય કરે છે. તેનું કોઈ લક્ષણ આચાર્ય આપતા નથી, પણ મમ્મટે આપેલું ઉદાહરણ જ, જેમ કે, ‘: : 7o' (શ્લોક ૨૪૬, એજન) તેઓ ટાંકે છે. હેમચન્દ્ર સમજાવે છે કે, અહીં ક્રમે ક્રમે અનુપ્રાસ વધારે સઘન બનાવવો જોઈએ. મમ્મટે તો દોષની કે ઉદાહરણની કોઈ સમજૂતી આપી નથી. આ દોષ ક્યાંક ગુણ બને છે, તે મમ્મટ પ્રમાણે આચાર્ય સમજાવે છે અને મમ્મટનું જ “પ્રાપ્રાપ્ત' (શ્લોક ૨૪૭, એજન) વગેરે ઉદાહરણ તેઓ ટાંકે છે. આચાર્યશ્રી સમજાવે છે કે, અહીં ક્રોધના અભાવમાં “પદ્મર્ષ” દોષ થતો નથી. મમ્મટે કોઈ સમજૂતી આપી નથી. સમાપ્તપુનરાત્તત્વ દોષની સમજૂતી કે લક્ષણ હેમચન્દ્ર કે મમ્મટ આપતા નથી, ફક્ત ઉદાહરણ જ આપે છે. તેમાં અમુક વિગતમાં વિશેષણો અપાયાં પછી કોઈ બીજી નોંધ કવિ કરે અને વળી પાછાં થોડાં બીજાં વિશેષણો લાદે. આમ કરવાથી આ દોષ આવે છે. “ સ્નાં નિમ્નતિo' (શ્લોક ૨૪૮, એજન) વગેરે ઉદાહરણ ટાંકી આચાર્ય સમજાવે છે કે, અહીં ‘પૂSTમળે.' એ સ્થળે વાક્ય સમાપ્ત થયા પછી “તારād' વગેરે જે પૂંછડી જેવું છે ( થોડું વધારાનુ છે) તેનું ફરી ગ્રહણ કરવામાં આવે છે, જે ચમત્કાર સર્જતું નથી. મમ્મટે તો પોતાનું ઉદાહરણ સમજાવ્યું નથી. સમાપ્તપુનરાત્તત્વ ક્યારેક નથી ગુણરૂપ કે નથી દોષરૂપ, એ વાત મમ્મટ પ્રમાણે, પ્રાપ્રાપ્તo' વગેરે (શ્લોક. ૨૧૩) ઉદાહરણ ફરી ઉદ્ધત કરી હેમચન્દ્ર સમજાવે છે, પણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy