SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે, શ્રીષભદેવસ્વામીથી આરંભીને શ્રવધમાનસ્વામી પર્યન્ત બધા તીર્થપતિઓના સાધુઓ, સામાયિક જેની આદિમાં છે, એવાં અગિયાર અંગે અને ચૌદ પૂને, નિયમિત અભ્યાસ કરે છે. તે એમ સૂચવે છે, કે દરેક મુનિઓને સામાયિક આદિ આવશ્યકેનું અધ્યયન નિયત છે. કારણ કે–પંચાચારની શુદ્ધિનું તે અનન્ય સાધન છે. જ્ઞાન-દશનચારિત્ર આદિ આત્માના ગુણે શાશ્વત છે, અને તેને મલિન કરનાર કર્મનું આવરણ અનાદિકાળનું છે. તે આવરણ હઠાવનાર અને મલિનતા દૂર કરનાર ઉપાય પણ શાશ્વત જોઈએ, તેથી પ્રત્યેક તીર્થકરના શાસનમાં તે અવશ્ય હાય જ. એ રીતે આવશ્યક અને પ્રતિક્રમણ કિયાની ઉપગિતા તીર્થકરદેએ સ્થાપિત કરેલી છે અને ચતુર્વિધ સંઘે પ્રતિદિનની સામાચારીમાં તેને માન્ય કરેલી છે. કુદરતનો પણ તે જ ક્રમ છે. મુમુક્ષુ આત્માઓને શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરવા માટે તે પ્રતિદિનને વ્યાયામ છે. શારીરિક વ્યાયામ જેમ શરીરને તંદુરસ્તી બક્ષે છે, તેમ આ આત્મિક વ્યાયામ આત્માને ભાવતંદુરસ્તી આપે છે. કહ્યું છે કે–સમ્ય દશનને ઉત્પન્ન કરવાને સમથળ જે શુભ કિયા ગુદિજ સમક્ષ કરાય છે તે સમ્યગ વ્યાયામ છે. શંકા ૮ઃ એક પ્રતિક્રમણને બદલે પાંચ પ્રતિકમણ કેમ? સમાધાનઃ પ્રતિકમણ એ દોષશુદ્ધિ અને ગુણપુષ્ટિની ક્રિયા છે. દોષ એટલે કચરે. આત્મારૂપી ઘરની અંદર કમના સંબંધથી દેષરૂપી કચરે નિરંતર એકઠે થાય છે. તેને દર પખવાડિયે, દર ચાતુર્માસીએ અને દર સંવત્સરીએ વધારે પ્રયત્નપૂર્વક સાફ * गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादनशक्ता सा सम्यग् व्यायामः। તસ્વાર્થ સિદ્ધસેનીય ટીકા-પૃષ્ઠ ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy