SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ ટળો, મને સુખ મળો એવી જે સતત ચિંતા થાય છે, પોતાના દુઃખ પ્રત્યે જે ભારે દ્વેષ અને અણગમે થાય છે તે આર્તધ્યાન છે. આ ધ્યાન સાંસારિક દુખના કારણે ઉત્પન્ન થાય છે અને પુનઃ દુઃખને અનુબંધ કરાવે છે. આ ધ્યાનના ચાર પ્રકાર :– (૧) અનિષ્ટ સંયોગજન્ય, (૨) ઈષ્ટ વિગજન્ય, (૩) વ્યાધિ વેદનાજન્ય, (૪) નિદાન ચિંતનરૂપ. (૧) અનિષ્ટ સંગજન્ય આ ધ્યાન–આ અશુભ ધ્યાનના મૂળમાં, “બીજા બધાનું ગમે તે થાઓ પણ મારું દુઃખ ટળે, મને સુખ મળે, એ અધ્યવસાય મુખ્ય છે. તે પછી ધન, સ્વજન આદિને બાધક પરિબળે “અગ્નિ, જળ, હિંસક પશુ, ચોર, લૂંટારાદિ મનુષ્ય, પ્રતિકૂળ રાજ કે દુશ્મન વગેરેને કદી એગ ન થાય પણ સદા વિયેગ થાય તે સારું' એમ સતતપણે ચિંતવવું તે અનિષ્ટ સંગજન્ય આર્તધ્યાન છે. (૨) ઇષ્ટ વિગજન્ય આર્તધ્યાન-ઐશ્વર્ય, સ્ત્રી, કુટુંબ, મિત્ર, યશ, સૌભાગ્ય તથા ભેગાદિની સામગ્રીને નાશ થવાથી તેમજ ચિત્તને પ્રીતિદાયક વિષય સુખોને અભાવ થવાથી વ્યક્તિને જે શેક, ચિંતા ખેદ થાય તે ઈષ્ટ વિગજન્ય આર્તધ્યાન છે. (૩) વ્યાધિ વેદનાજન્ય આત્તધ્યાન-સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે માનવ શરીરમાં સાડાત્રણ કરોડ રૂંવાડાં છે, તે પ્રત્યેક રૂવાંડે પિોણા બે રોગ રહેલા છે. પરંતુ દેવ-ગુરુની આજ્ઞામાં વર્તતાં જીવને તેના હુમલાઓ ઓછા નડે છે. તેમ છતાં અશાતા વેદનીય કર્મના ઉદયે શરીરમાં શૂળ, ભગંદર, કેન્સર, જવર (તાવ), ક્ષય આદિ રોગો ઉત્પન્ન થતાં તેની પીડાથી ત્રાસી, કંટાળી, હતાશ થઈ, “હવે આ રોગ મારો કેડે છેડે તે સારું' તેવી વિચારણામાં મનને પરોવી રાખવું એ આર્તધ્યાનનો જ એક પ્રકાર છે, કારણ કે આ ધ્યાનના વિષય તરીકે માત્ર નશ્વર શરીર જ હોય છે, જેને સ્વભાવ નાશ પામવાને છે. માટે તેના દાસપણામાંથી છૂટવા માટે પ્રભુ–દાસ બનવાનું ફરમાન શાસ્ત્રો કરે છે. (૪) નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન-કોઈ પણ પુણ્યકાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન કરતી વખતે યા કર્યા પછી- મેહ, અજ્ઞાન અને મિથ્યાત્વને વશ-દેવગતિના ભેગો, રાજ્ય, સંપત્તિ, વૈષયિક સુઓ તથા પૂજા પ્રતિષ્ઠાની કામના કરવી–આ બધું મને મળે, એવો દઢ સંકલ્પ કરે તે- “નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન છે.” આ યાનનાં લક્ષણે –આકંદ, શેક, તાડન, વિલાપ, ભૌતિક સુખેની તીવ્ર આકાંક્ષા, અસંતોષ, ઈર્ષા, ધર્મ–વિમુખતા, ગાઢ બહિર્મુખતા, અધિક આહાર, નિદ્રારુચિ, જિનાગમ નિરપેક્ષવૃત્તિ વગેરે આનંદયાનનાં લક્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy