SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार- सविवेचन [ ૨૮૨ મિથ્યા (અશુદ્ધ) અર્થાત્ મિશ્ર થઇ જાય છે. માટે તે જીત્ર સમ્યગ્−મિથ્યાષ્ટિ અર્થાત્ મિશ્રર્દષ્ટિ કહેવાય છે અને તેના સ્વરૂપ વિશેષને ‘મિશ્ર ગુણસ્થાન’ કહે છે. આ ગુણસ્થાનમાં જીવને સર્વજ્ઞ કથિત જીવાઢિ તત્ત્વા ઉપર રુચિ કે અરુચિ ાતી નથી, પણ એવા પ્રકારની મધ્યસ્થતા હોય છે, જેવી નાલિકેર દ્વીપના નિવાસી મનુષ્યને આદન-ભાત આદિ (ધાન્ય) આહારના વિષયમાં હોય છે. જે દ્વીપમાં મુખ્ય પેદાશ નારિયેળની હાય છે ત્યાંના રહેવાસીને ભાત, મગ, ઘઉં’ વગેરે પ્રશ્નને જોયાં કે સાંભળ્યાં જ નથી તે ભાત અદ્રિ સબંધી રુચિ કે અરુચિ હેતી નથી, પરન્તુ સમભાવ હેાય છે. એ પ્રમાણે મિશ્ર-ગુણ સ્થાનકવતી છત્રમાં સર્વજ્ઞ પ્રણીત તત્ત્વાની પ્રીતિ કે અપ્રીતિ શુદ્ધ (સમ્યક્ ) કે અશુદ્ધ (મિથ્યા) માન્યતા-એ બેમાંથી એકે પણ હેાતી નથી, પણ બન્ને તરફ સમભાવ હોય છે. આ ત્રીજા ગુણસ્થાનના કાલ અંતર્મુહૂત પ્રમાણ છે. તે ચડતાં અને પડતાં, બન્ને પ્રકારના જીવાને હાય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચેથા ગુણસ્થાનથી પણ ત્રીજા ગુરુસ્થાને આવે. પણ એક વાર ચેાથુ ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું અને બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. (૪) અવિરત-સમ્યગ્ દષ્ટિ ગુણસ્થાન: જે જીવા દનમે હના ઉપશમ, ક્ષયાપશમ કે ઘાત કરીને તેને નબળા કરીને સભ્ય-શુદ્ધ દૃષ્ટિ=રુચિ, માન્યતા ધરાવે છે પણ ચારિત્રમેહના ઉદયથી અવિરત-અશુદ્ધ પ્રવૃત્તિવાળા છે. અર્થાત્ હિંસાદિ પાપવ્યાપારના ત્યાગ કરી શકયા નથી તે જીવે અવિરત સમ્યદ્રષ્ટિ છે : તેવા જીવાનુ સ્વરૂપ-વિશેષ અવિરત-સમ્યગ્દૃષ્ટિ ગુણુસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનને પામેલા જીવા વધુમાં વધુ દેશેાન-અ પુદ્ગલ પરાવત જેટલા કાળમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનવી જીવાને શરીરથી ભિન્ન આત્મા છે, તેની સચાટ પ્રતીતિ–શ્રદ્ધા હોય છે, અન્ય દુઃખી જીવા પ્રત્યે કરુણાભાવ હોય છે. સસાર નિવેદ હોય છે. મેાક્ષની તીવ્ર અભિલાષા હાય છે. તેના ફળરૂપે તેમના ચિત્તમાં ‘શમ-સમભાવ' ક્રમશઃ ઉલ્લસિત થતા જાય છે. સમ્યગ્રદૃષ્ટિ જીવા ત-નિયમ-ચારિત્રને જાણવા, સમજવા અને ઇચ્છવા છતાં તેના સ્વીકાર તથા પાલન કરી શકતા નથી કારણ કે તેમને અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદય હાય છે. (૫) દેશવિરતિ ગુણસ્થાન : સ્થૂલ વિરતિ (વ્રત-નિયમ) ગુણુને રેશકનાર અપ્રત્યાખ્યાનાવરણ-કષાયરૂપ ચારિત્ર માહ નિČળ બનવાથી સ્થૂળ હિંસાદિ પાપાથી નિવૃત્તિ કરી શકાય છે. જે જીવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy