SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] ध्यानषिधार-सविवेचन આ રીતે વિવેક-અવિવેક વચ્ચેનું ઘર્ષણુ ઘણુ સમય સુધી ચાલુ જ રહે છે. જે સાધક કુસંસ્કારથી સતત સાવધાન રહે છે, અર્થાત તેના પાશમાં ફસાતો નથી તે વિવેકના દિવ્ય પ્રકાશ દ્વારા બહિરાત્મભાવને ત્યાગ કરી અંતરાતમભાવમાં સ્થિર બની, પરમાત્મ-સ્વરૂપની ભાવનાથી પિતાના આત્માને ભાવિત કરવામાં સફળ થાય છે. સત-ચિત-આનંદમય જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્માનું છે, સત્તાએ એવું જ સ્વરૂપ મારા આત્માનું છે. પરમાત્મા અને મારા આત્મા વચ્ચે તવતઃ કઈ ભેદ નથી. જે ભેદ જણાય છે તે પણ સોપાધિક છે અને બંનેનું નિપાધિક સ્વરૂપ એક સરખું છે-મૌલિક છે. આ રીતે સ્વાત્મામાં પરમાત્મભાવનું અભેદ પ્રણિધાન જેમ-જેમ દઢ, દઢતર થતું જાય છે. તેમ-તેમ યાતા-આત્માના પ્રદેશે–પ્રદેશે “સેડહં, સોડવું”ને અંતર્નાદ ગૂંજી ઊઠે છે. તાત્પર્ય કે – દેહદૃષ્ટિ વડે આત્માને જો તે ભારે અવિવેક છે આત્માનું યથાર્થ દર્શન પરમામાની આંખે જોવાથી જ થાય છે. આ આંખ ઉક્ત પ્રણિધાનની પરિપૂર્ણ પરિતિના પ્રબળ પ્રભાવે ઊઘડે છે અને ત્યારે “ભેર ભયોને મર્મ અનુભવગેયર થાય છે. જે ભવ્યાત્મામાં અપુનબંધક અવસ્થાથી બીજરૂપે ધ્યાન-ગને આરંભ થયો હોય છે, તે સમ્યગૂ-દર્શન, અવિરત, વિરત, પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકમાં ઉત્તરોત્તર વિકાસશીલ અવસ્થાને પામતા જાય છે. ઉન્મનીકરણ આદિ અગિયાર કરાણોની ભૂમિકા સુધીના વિકસિત ધ્યાન-યોગમાં સાધકને ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર આત્માનુભૂતિને પ્રકાશ પ્રાપ્ત થતી જાય છે. અગિયારમાં ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલા ચૌદ પૂર્વધર આદિ મહામુનિઓ ચારિત્રની નિર્મળ આરાધના સાથે સુવિશુદ્ધ યાનની ભાવધારામાં આગળ વધતાં જે જરા પણ સાવધાની ગુમાવે છે, તે શેષ રહેલા મહિના સૂક્ષ્મ સંસ્કારે તેમની સાધન માં વિક્ષેપ ઊમે કરી દે છે અને ભ્રાન્તિની જાળમાં ફસાવી તેમને ગુણશ્રેણિથી ભ્રષ્ટ કરી દે છે. જો કે એક વાર પણ જે ભવ્યાત્માને આત્માને આંશિક અનુભવ થઈ ગયો હોય છે સમ્યગુ દર્શનની સ્પર્શનો થઈ હોય છે) તે મોહવશાત બ્રાન્ડ બની જાય, તે પગ તેના આત્માની પૂર્ણ-સુદ અવસ્થાનું પ્રગટીકરણ અધપુદ્ગલ પરાવર્ત-કાળમાં અવશ્ય થાય જ છે. ઉપશમ અને ક્ષાયો પથમિક ભાવની અવસ્થા ઔદયિક ભાવનું જોર વધતાં ચાલી જાય છે, પરંતુ જ્યારે સુક્ષ્મ સંસ્કારરૂપ દર્શનમોહને સર્વથા નાશ થાય છે, ત્યાર પછી પતનની સંભાવના રહેતી નથી. ક્ષાયિક ભાવનું સમ્યગૂ દર્શન થયા પછી અર્થાત આત્માનુભૂતિમાં બાધક દર્શનમેહ ક્ષય થયા પછી સાધક બહુ નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ-શુદ્ધ આત્મસ્વરૂપને સ્વામી બને છે. નિરુપયોગીકરણની ભૂમિકામાં વાસનારૂપ ઉપયોગને અર્થાત આત્મામાં પડેલા મહાદિકના સંસ્કારને અભાવ થઈ જાય છે. તેથી, ફરીને દેહમાં આત્મબ્રાનિ થવાની સંભાવના રહેતી નથી. આત્મા આત્માને આત્મજ્ઞાન વડે આત્મામાં જ અનુભવે એવી ઉગ્ય સ્થિતિનું નિર્માણ આ કરણમાં થાય છે. પૂર્વનાં કરમાં સત્તાગત મહાદિક સંસ્કારોના ઉધનની જે શકયતા ઊભી હતી તે અહીં નિર્મળ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy