SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૩ નિર્ધારણકરણના આઠ પ્રકાર : () નિર્ધારણીકરણ, (૫) નિર્ધારણભવન, (૨) મહા-નિર્ધારણીકરણ, (૬) મહા-નિર્ધારણભવન, (૩) પરમ–નિર્ધારણકરણ, (૭) પરમ-નિર્ધારણીભવન, (૪) સર્વ-નિર્ધારણીકરણ. (૮) સર્વ-નિર્ધારણીભવન, (૭) વિસ્મૃતીકરણ મૂળપાઠ –વિષ્ણુશમિયા ૮ (ધા) શ્રુતિનાથા દ્વિતો મેરા यतः-अविच्युति-स्मृति-वासना-भेदात् त्रिधा धारणा वर्ण्यते ॥७॥ અર્થ: વિસ્મૃતીકરણ આદિ આઠ પ્રકારે છે. સ્મૃતિ એ ધારણાને બીજે ભેદ છે કારણ કે ધારણુ એ અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસનાના ભેદથી ત્રણ પ્રકારની છે, તેમાંથી બીજા પ્રકારરૂપ સ્મૃતિને અભાવ, આ કરણમાં વિવક્ષિત છે. વિવેચન –જેનાથી પૂર્વાનુભૂત પદાર્થ કે પ્રસંગનું સ્મરણ થાય છે તેને “સ્કૃતિ' કહે છે. જે-જે વસ્તુ કે વ્યક્તિનો સંપર્ક જે સંયોગાદિ દ્વારા ભૂતકાળમાં થયેલ હોય છે તે-તે વસ્તુ અને વ્યક્તિના જે સંસકારે આત્મામાં પડેલા હોય છે, તે સંસ્કાર તેવા-તેવા પ્રકારનાં નિમિત્તો મળતાં ફરી જાગૃત થાય છે આ પહેલાંના કરણમાં અવિમ્યુતિરૂપ ધારણાને અભાવ થવા છતાં હજુ પૂર્વાનુભૂત પદાર્થોના સંસ્કારોને લઈને તેની સ્મૃતિની સંભાવના ઊભી જ હતી. તેને આ સાતમા કરણમાં અભાવ થવાથી આત્માનુભવ દઢતર બને છે, આત્માનુભૂતિ વધુ સમૃદ્ધ બને છે. વિસ્મૃતીકરણ વગેરે આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) વિકૃતીકરણ, (૫) વિસ્મૃતીભવન, (૨) મહા-વિસ્મૃતીકરણ, (૬) મહા-વિસ્મૃતીભવન, (૩) પરમ-વિસ્મૃતીકરણ, (૭) પરમ-વિસ્મૃતીભવન, (૪) સર્વ—વિસ્મૃતીકરણ. (૮) સર્વ-વિસ્મૃતીભવન. (૮) નિબુદ્ધીકરણ મૂળપાઠ–નિવૃદ્ધિીરમિયાઃ ૮ (ધા) | શુદ્ધિ ગૌસ્વાતિવાતિયા - वायरूपा, अवायस्तु निश्चय उच्यते ॥ ८ ॥ અર્થ -નિબુદ્ધીકરણ આદિ આઠ પ્રકારે છે. અહીં બુદ્ધિ શબ્દથી ઔપાતિકી, નચિકી, કાર્મિકી અને પરિણામિકી – આ ચાર પ્રકારની બુદ્ધિ લેવાની છે અને તે અવાયરૂપ છે. અવાય એટલે નિશ્ચય. તેને અભાવ નિબુદ્ધીકરણમાં હોય છે. વિવેચન-છઠ્ઠા અને સાતમાં કરણમાં ધારણાના પહેલા અને ત્રીજા ભેદને અર્થાત અવિસ્મૃતિ અને સ્મૃતિને નિરોધ બતાવવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં ધારણુની પૂર્વે થતા “અવાય કે જે નિશ્ચયાત્મક જ્ઞાનરૂપ છે, તેને નિરોધ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy