SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] ध्यानविचार-सविवेचन -વીર્ય આદિ આઠે પ્રકારે આ ત્રણ વિભાગમાં પાડતાં તેના ચોવીસ પ્રકાર આ રીતે થાય છે. ગર્વીય આદિ જધન્ય કોટિના હેય છે ત્યારે તે પિતાનાં “ગ, વીર્ય, શ્યામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય' – એવાં સામાન્ય (વિશેષણ રહિત) નામથી જ ઓળખાય છે. આ શક્તિઓ જ્યારે મધ્યમ કક્ષાએ પહોંચે છે ત્યારે તેને “મહા” વિશેષણ જોડવાપૂર્વક “મહાયોગ મહાવીય મહાસ્થાન, મહાઉત્સાહ, મહાપરાક્રમ, મહાચેષ્ટા, મહાશક્તિ અને મહાસમર્થ્ય' – એવાં નામથી સંબોધવામાં આવે છે. આ શક્તિઓ જ્યારે ઉત્કૃષ્ટ કેટિની બને છે, ત્યારે તેને “પરમ” વિશેષણ લગાડીને કમશઃ પરમગ, પરમવીર્ય, પરમસ્થામ, પરમઉત્સાહ, પરમપરાક્રમ, પરમચેષ્ટા, પરમ શક્તિ અને પરમસામર્થ નામથી ઓળખવામાં આવે છે. ગ, વીર્ય આદિ આઠ પ્રકારને જન્મ મધ્યમ અને ઉત્કૃષ્ટ-આ ત્રણ વિભાગથી ગુણતાં તેના (૮૪૩=૨૪) ચોવીસ ભેદ થાય છે. અને આ ચોવીસ ભેદને પ્રત્યે ભેદ પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા – એમ ચાર-ચાર પ્રકારને હોય છે. આ રીતે વીસ ભેદોને પ્રણિધાન આદિ ચારથી ગુણતાં (૨૪૪૪=૯૬) છ નુ ભેદ થાય છે. પ્રણિધાનાદિનું સ્વરૂપ :-પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા - આ શબ્દ ધ્યાન-યોગ અને અધ્યાત્મ-ગ્રન્થમાં ખૂબ પ્રચલિત છે. તે શબ્દો મન, વાણી અને કાયાની ઉત્તરોત્તર અધિક–અધિક નિર્માતા અને નિશ્ચળતાના દ્યોતક છે. મન, વાણી અને કાયા જ્યારે અશુભ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બને છે, ત્યારે પ્રણિધાનની ભૂમિકા આવે છે મન, વચન, કાયા જ્યારે શુભમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે સમાધાનની ભૂમિકા પ્રગટે છે. સમાધિની કક્ષા રાગ-દ્વેષના પ્રસંગોમાં પણ સમાવ જળવાય છે ત્યારે આવે છે. જીવનમાં આવું સમત્વ સિદ્ધ થાય છે, ત્યારે મનની નિશળતા વધતાં ઉચ્છવાસ આદિને પણ સહજ નિરોધ એ “કાકાની ભૂમિકા છે. પ્રણિધાન આદિ પેગમાં ચારિત્રગા -સાવવ-અશુભ યોગની નિવૃત્તિરૂપ અને નિરવદ્ય-શુભ ગની પ્રવૃત્તિ સ્વરૂપ પ્રણિધાનાદિ વેગમાં ચારિત્રગના મુખ્ય અંગભૂત સમિતિ, ગુપ્તિ, મહાવ્રત અને સામાયિક–સમભાવ વગેરે કઈ રીતે સમાયેલાં છે તેને વિચાર કરીશું, જેથી આ પ્રણિધાનાદિ ગોની વિશિષ્ટતા અને વિશાળતા હદયંગમ બની શકે. પ્રણિધાન” અને “સમાધાન” એ સમિતિ ગુપ્તિ આદિ ઉત્તર-ગુણાત્મક અને પાંચમહાવ્રતરૂપ મૂળ-ગુણ મક વ્યવહાર–ચારિત્રના દ્યોતક છે. આ વ્યવહાર–ચારિત્રના વિશુદ્ધ પાલનથી પ્રગટતી પરમ સમતાના સૂચક સમાધિ અને કાષ્ઠા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy