SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन મેળવવા જેવા શુદ્ધ આત્માનાં દર્શન અને મિલન માટે દિનરાત મથવાની ભૂખ નથી જાગી ! એ જગાડવા માટે આ ભાવના છે. ધ્યાનધારા તૂટતાં ધ્યાતાએ આ બધી ભાવનાઓમાં ચિત્તને જોડી દેવાનું છે. આ બાર ભાવનાઓ નિત્ય ભાવવાથી ભવ–દુઃખ-વર્ધક વાસનાઓ ક્ષીણ થાય છે. આત્મસુખદાયી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, જેના પરિણામે ધ્યાનની સુલભતા સચવાય છે, ધ્યાન માટે ફાંફાં મારવાં નથી પડતાં. પરવસ્તુને વિચાર સુદ્ધાં જેને વ્યાકુળ બનાવી દે એવા પવિત્ર ચિત્તની આહૂલાદક પ્રસન્નતા આ ભાવનાઓ વડે જળવાય છે, જેથી “જયણા” અને “ઉપગ” સ્વભાવભૂત બને છે. તાપથ આ છે - ચિંતાને સામાન્ય અર્થ શાસ્ત્ર-ચિંતન કે તત્વ-ચિંતન છે. ચરાચર જગતના પદાર્થો (દ્રગે)ના બાહ્ય અને અત્યંતર સ્વરૂપનું ચિંતન જેટલું વિશાળ અને સૂક્ષમ હોય છે, તેટલું વિશાળ અને સૂક્ષમ ધ્યાન પણ બને છે. ધ્યાન' એ ચિત્તની નિપ્રકંપ અને નિશ્ચળ અવસ્થા છે. એવી અવસ્થામાં અંતમુહૂર્ત – ૪૮ મિનિટથી કાંઈ ન્યૂન સમય કરતાં વધુ સમય ટકી શકાતું નથી. ચિંતા” એ ચિત્તની ચંચળ અવસ્થા છે. ચિંતન વખતે પણ ચિત્ત જુદા-જુદા દ્રવ્યના વિકલ્પમાં વ્યસ્ત હોય છે, જ્યારે ધ્યાનમાં ચિત્ત નિશ્ચળ હોય છે. - મનની સ્થિરતાપૂર્વક ધ્યાન થાય છે ત્યારે કે એક જ વિષયનું ચિંતન હોય તે તેને “ચિંતા પણ કહી શકાય છે અને બે ધ્યાનની વચમાં એટલે કે એક ધ્યાન સમાપ્ત થયા પછી અન્ય પદાર્થવિષયક ધ્યાનમાં સાધક પોતાના ચિત્તને સ્થિર બનાવવા તદવિષયક ચિંતન કરે છે, તેને ધ્યાનાન્સરિકા' કહેવાય છે. માર્ગમાં ચાલ્યો જત પ્રવાસી બે રસ્તા આવે ત્યારે ઊભા રહીને વિચાર કરે છે કે હવે ક્યા રસ્તે જવું ? પછી તે પોતાના ઈષ્ટ સ્થાનને વિચાર કરી તેને અનુફળ દિશાવાળા માર્ગે ચાલવા માંડે છે, તેમ સાધક પણ બીજું સ્થાન પ્રારંભ કરતાં પહેલાં હવે મારે કયું ધ્યાન કરવાનું છે?' તેને પ્રજ્ઞા સા એ વિચાર કરીને આત્મસ્વભાવને અનુકૂળ ધ્યાનમાં સ્થિર બને છે. પ્રસ્તુતમાં ચિંતાના સાત પ્રકાર પાડી તેના વિરૂપની વિવિધતાનું દર્શન કરાવ્યું છે ચિંતાને ભાવના, ત્યાગ અને ધ્યાન સાથે કાર્યકારણરૂપ ગાઢ સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy