SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] ध्यानविद्यार-सविवेचन જવાબમાં મુનિરાજે કહ્યું : અશાતા વેદનીય કર્મના ઉદયે હું માંદ પડશે. સારવાર કરવા છતાં માંદગી ન ટળી, તે સમયે મેં મનોમન સંકલ્પ કર્યો કે-આ રોગ શમી જશે તે બીજા જ દિવસે હું ચારિત્ર અંગીકાર કરીશ. આ સંકલ્પ પછી એક એવી ઘટના બની કે મારી આંખો ઊઘડી ગઈ. આ સંસારમાં જીવને સાચું શરણું એક માત્ર ધર્મનું છે. એ ત્રિકાલાબધિત સત્યમાં મારે વિશ્વાસ અડગ અને અખંડ બચે. એ ઘટના તમે સાંભળો : મારું શરીર રોગો અને અસહ્ય દાહપીડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છતાં મારા પ્રત્યે અપ્રતિમ વહાલ વરસાવનારાં મારાં માતા-પિતા, સ્નેહી-સ્વજનો અને મારી પ્રાણપ્યારી પ્રિયતમાઓમાંથી કોઈ પણ મારા રોગને, મારી પીડાને મટાડી શક્યાં નથી કે તેમાંથી લેશમાત્ર પણ ભાગ પડાવી શક્યાં નથી. ખરેખર ! મારાં કહેવાતાં સર્વ કેઈ સગાંઓ હાજર છતાં હું અશરણું છુંઅનાથ છું. આ અનુભવ પછી મને–આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી, સગો છે એક માત્ર કેવળી-કથિત ધર્મ-એ સત્ય તરત હૃદયસાત્ થઈ ગયું. એટલે રેગનું શમન થતાંની સાથે મેં ચારિત્ર અંગીકાર કર્યું. જોકે મને “અનાથી મુનિ'ના નામથી ઓળખે છે.” મુનિરાજની કથની સાંભળીને મહારાજા શ્રેણિકની જિનભક્તિ-ધર્મશ્રદ્ધા વધુ ગાઢ બની. તાત્પર્ય કે આ સંસારમાં જીવનાં કહેવાતાં સગાં ઘણું છે, પણ એ બધાં કહેવા પૂરતાં જ છે, કારણ કે તેઓ સ્વયં અશરણુ છે ત્યાં બીજાને શરણરૂપ શી રીતે થઈ શકે? વધુ ઊંડાણથી વિચારીશું તે તરત સમજાશે કે દેશ-કાળ અને કર્મના ત્રિકોણમાં જકડાએલા જીવને સાચું શરણું આપવાનું સામર્થ્ય દેવ-ગુરુ-ધર્મમાં જ છે. બાકી બધાં શરણું તકલાદી ટેકારૂપ છે. (૩) એકત્વ ભાવના સ્વાત્મહિતની સાધનામાં નિરંતર ઉદ્યમવંત રહેવા માટે આ ભાવનાને વિષય છે. સ્વ–આત્મા કે જે એક જન્મે છે, એકલે મરે છે, સ્વ-કૃત શુભાશુભ-કર્મોનાં સારા-માઠાં ફળ એકલો ભોગવે છે. આ ભાવનાને મર્મ એ છે કે સ્વાત્મહિત સાધનામાં એકલવીર બનીને મગ્ન બનવું. અન્યની મદદની અપેક્ષા ન રાખવી. મદદ ન કરનાર તરફ દુર્ભાવ ન દાખવે પણ સ્વાત્મવીર્યની ફુરણા માટે શાસ્ત્રોક્ત માર્ગે પ્રયાણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy