SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन અને શુકલધ્યાન વડે અનુક્રમે ઘાતી કર્મોને ક્ષય થતાં કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્રરૂપ પૂર્ણ-સામાયિક પ્રગટે છે. આ રીતે “સામાયિક અને ધ્યાન”—બંને પરસ્પર એકબીજાનાં કારણ છે, તેથી “સિદ્ધિ-ધ્યાનના અધિકારી કેત્તર સમતાવાન મુનિ છે - એમ ગર્ભિત રીતે સૂચિત થાય છે. સિદ્ધિધ્યાનનું રહસ્ય સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતને સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી સર્વ ગુણે આવિર્ભાવ પામ્યા છે. સિદ્ધ આત્માના એક–એક પ્રદેશે અનંત ગુણે પ્રગટપણે રહેલા છે. તેમાં પ્રસિદ્ધ એકત્રીસ ગુણેનું વર્ણન (બે રીતે) શાસ્ત્રોમાં જોવા-વાંચવા મળે છે. આચારાંગ-સૂત્રમાં નિષેધાત્મક શૈલીએ વર્ણવેલા એકત્રીસ ગુણે નીચે પ્રમાણે છે સિદ્ધ ભગવંતે-(૧) દીર્ઘ નથી કે હસ્વ નથી, (૨) ગેળ નથી, (૩) ત્રિકોણ નથી, (૪) ચતુષ્કોણ નથી, (૫) પરિમડલાકારે નથી, (૬) શ્યામ નથી, (૭) નીલ નથી, (૮) લાલ નથી, (૯પીળા નથી, (૧૦) વેત નથી, (૧૧) સુગંધી નથી, (૧૨) દુર્ગધી નથી, (૧૩) તિક્ત નથી, (૧૪) કટુ નથી, (૧૫) તુરા નથી, (૧૬) ખાટા નથી, (૧) મધુર નથી, (૧૮) કઠિન નથી, (૧૯) મૃદુ નથી, (૨૦) ભારે નથી, (૨૧) હલકા નથી, (૨૨) શીત નથી, (ર૩) ઉષ્ણ નથી, (૨૪) ચિનગ્ધ નથી, (૨૫) રૂક્ષ નથી, (૨૬) શરીરધારી નથી, (૨૭) જન્મ લેતા નથી, (૨૮) અમૂર્ત હોવાથી સંગવાળા નથી, (૨૯) સ્ત્રી નથી, (૩૦) પુરુષ નથી, અને (૩૧) નપુંસક નથી.૨૮ આ રીતે પાંચ પ્રકારના સંસ્થાનથી રહિત હોવાથી સિદ્ધ ભગવતે નિરાકાર સ્વરૂપવાળા છે. પાંચ પ્રકારના વર્ણથી રહિત હોવાથી અરૂપી છે. તેમજ બંને પ્રકારની ગંધ ન હોવાથી અગંધ છે. પાંચ પ્રકારના રસ ન હોવાથી અ–રસ છે. આઠે પ્રકારના સ્પર્શ ન હોવાથી અ-સ્પર્શ છે, શરીર રહિત હોવાથી અશરીરી છે. જન્મ ન હોવાથી અજન્મા છે, અમૂર્ત હોવાથી અસંગ છે, ત્રણે વેદથી રહિત હોવાથી અઢી છે. બીજી રીતે એકત્રીસ ગુણેનું વર્ણન આવશ્યક–વૃત્તિમાં આ પ્રમાણે કરેલું છે : ૩૮. “સે ન રહે , દે, 7 સંસે ન કરે, ન રિબંદરો, ર જિદ્દે, જો नीले, न लोहिए, न हालिद्दे, न सुकिल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कश्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, ર નિ, ન સુણે, ર ાપ, , હો, ન સ્થી, ન જુણે, ર અનr ” -બવાર-સૂત્ર : સૂ. ૨૭-૨. .. ३९, अहवा कम्मे णव दरिसणम्मि चत्तारि आउए पंच। आइम अंते सेसे दो दो खीणाभिलावेण इगतीसं ॥ -ઘરેસૂત્ર-હારિમટ્ટીયાટીદા; પૃ. ૬૬ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy