SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્ મનની વૃત્તિઓને શાન્ત-સ્થિર અને એકાચ બનાવવી જોઇએ, જેથી સમ્યગ્ જ્ઞાનના સૌંસ્કારે સુદૃઢ બનતાં મન પરમાત્માના યાનો સ્થિરતા-એકાગ્રતા પ્રાપ્ત કરી શકે, તન્મય બની શકે. જે સાધકના હૈયે પેાતાના પરમ ધ્યેય સ્વરૂપ પરમાત્મા પ્રત્યે અપૂર્વ આસ્થા અવિચળ શ્રદ્ધા અને અવિહડ ભક્તિ છે, તે ગમે તેવા વિષમ સયાગથી કે ખા તેમજ આંતરિક વિઘ્નાથી ગભરાતા નથી, ભય પામતેા નથી, સહેજ પણ વિચલિત ઘતા નથી. પણ એવી અધન્ય પળે એ તરત જ પરમાત્માને યાદ કરે છે, સાદ પાડે છે અને 'किंकर्तव्यविमूढोऽस्मि प्रपद्ये शरणं च तम्' જેવી પ્રાથના પૂર્વક તેમના શરણમાં સમાઈ જાય છે, તે સમયે તેના અંતરના એક-એક તાર ‘તુ હિ–તુ હિ’પાકારે છે, તેના શબ્દમાં આર્જવ અને માવ હાય છે. શરણાગતની આર્દ્રતા તેના રૂ.વાડે રૂ વાડે કમળપત્ર પર ઝાકળ ખંદુની જેમ માગેલી હાય છે. તાત્પર્ય કે ચિત્ત-શુદ્ધિનુ પ્રતિ સમયે પૂરેપૂરુ' જતન કરવુ' એ ધ્યાતાની ખાસ *જ છે. ચિત્તશુદ્ધિ સિવાય આત્મશુદ્ધિ અશકય છે. એ હકીકતમાં દૃઢ આસ્થાવાળા સાધક જ અદ્વૈતરતમની સાધનામાં સફળ થાય છે. ધ્યેય પરમાત્મો ધ્યાનની સફળતા કે સિદ્ધિ તા જ પ્રાપ્ત થાય, જો ધ્યેય પણ તેટલુ' જ ઉચ્ચ હાય, પરમ પવિત્ર હાય, સગુણ સ ́પન્ન હાય અર્થાત્ ધ્યાતાના ધ્યેયરૂપે પરમાત્મા જ હે।વા જોઈએ. જેહુ ધ્યાન અરિહંત કે તેહિ જ આતમ ધ્યાન ' પરમાત્માનું ધ્યાન એ સ્વઆત્માનું જ ધ્યાન છે, કારણ કે આત્માના શુદ્ધ સ્વરૂપ અને પરમાત્મા વચ્ચે અભેદ છે એટલે જે સાધક પરમાત્માને જ એક અનન્ય શરણ્ય માની તેમની બિનશરતી શરણાગતિ સ્વીકારે છે તેનુ' સર્વ પ્રકારે રક્ષણ પરમાત્મા વડે જ થાય છે, તેમના સિવાય અન્ય કઇ રક્ષક આ લેકમાં નથી. શ્રી અરિહંત પરમાત્મા અભયના દાતા છે, શરણના દાતા છે. પેાતાના શરણે આવેલાને પૂર્ણતયા નિય, નિશ્ચિંત અને સ્વતુલ્ય બનાવે છે, કેમકે તેમને એ સહુજ સ્વભાવ છે. પરમાત્માનું' જ્ઞાનપૂર્વક શરણુ ગ્રહણ કરવાથી તેમનામાં રહેલા શુદ્ધ ધર્મનું બહુમાન થાય છે અને તેથી શરણાગત સાધકમાં પણ તેવે જ શુદ્ધ ધર્મ પ્રગટે છે. પરમાત્માના આલંબન સિવાય કોઈ પણ સાધક પેાતાના શુદ્ધ સ્વરૂપને પામી શકતા નથી, એટલે મુમુક્ષુ સાધકે એ સર્વ પ્રથમ પરમાત્માના સ્વરૂપને જાણવુ જોઈએ અને તેમનુ સદા ધ્યાન કરવુ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy