SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૪૨ અથવા તે સકારથી ક્ષકાર સુધીના પચાસ વર્ષે જે “સિદ્ધાક્ષર કે સિદ્ધમાતૃકા’ કહેવાય છે, તેઓનું જે ચક (સમુદાય, વર્ણવાળા)–તે સિદ્ધચક, તેનું આ “કાર જ મુખ્ય બીજ” છે. સકળ દ્વાદશાંગ રૂ૫ આગમનું રહસ્ય, આ સેળ પરમાક્ષર અને “બ આદિ બીજે છે, તેમાં પણ “ટ્ટ-એ “આદિ બીજ' હોવાથી પરમ-રહસ્યભૂત છે. આ “ઈંનું ધ્યાન ક્રમે-કમે સૂક્ષમ બનાવતાં “બિંદુ પર્યત કરવાનું હોય છે. બિંદુ એ “નાદ રૂપ છે. “નાદાનુસંધાન”થી “આત્માનુસંધાન” થાય છે અર્થાત્ આત્મ-તત્ત્વને સાક્ષાત્કાર થાય છે, જેને “અભેદ–પ્રણિધાન કહેવાય છે. * આ રીતે અડસઠ અક્ષરાત્મ નવકારને સંક્ષેપ સેાળ પરમાક્ષમાં કરી, તેને પણ સંક્ષેપ “ માં કરી, તેનું “સંભેદ અને “અભેદ પ્રણિધાન કરાય છે. એટલે કે પ્રથમ “ અક્ષર અને પછી પરમ-જ્યોતિ સ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી અરિહંત પરમાત્મા સાથે ધ્યાતાને પણ ધ્યાન રૂ૫ જયોતિ વડે “અભેદ સિદ્ધ થાય છે. તાત્પર્ય કે દેવ રૂપ થઈને દેવનું ધ્યાન કરવાથી તાત્વિક-નમસ્કાર બને છે. તે જ સમગ્ર દ્વાદશાંગીને મહાન અર્થ, અપૂર્વ અર્થ અને પરમાર્થ છે. પદ-ધ્યાન અને પદસ્થ–ધ્યાન પવિત્ર મંત્રાક્ષ આદિ પદેનું આલંબન લેવાપૂર્વક જે ધ્યાન કરાયા તેને સિદ્ધાન્તકારો “પદસ્થ ધ્યાન” કહે છે. “પરમેષ્ઠી–પદોનું ધ્યાન પણ “પદસ્થ-ધ્યાન” રૂપ છે. ગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં અને અન્ય ગ્રન્થમાં બતાવેલી પરમેષ્ઠી-વિદ્યા, ડશાક્ષરી–ષડાક્ષરી, પંચાક્ષરી વિદ્યાઓ અને કહ્યું, “” આદિ મંત્રોની સ્થાન પ્રક્રિયાએના અંતર્ભાવ પણ પરમેષ્ઠી-નમસ્કારના ધ્યાનમાં થયેલ છે. નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી સર્વ મંત્રી અને વિદ્યાઓ પણ અવશ્ય સિદ્ધ થાય છે.” કહ્યું પણ છે કે – વિ છૂતાવા વાગ્યા પૂનમતિ /' –(શ્રી સિંહતિલક સૂરિકૃત, સૂરિમંત્રી) સર્વ વિદ્યાઓ, મંત્ર કે ધ્યાન વગેરેની સ્મૃતિ પૂર્વે સૌ પહેલાં પૂર્ણ આ નવકાર ગણવો જોઈએ. ધ્યાનના જે ચાર પ્રકાર (૧) પદસ્થ, (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતત નામથી પ્રસિદ્ધ છે તે પણ નમસ્કાર મહામંત્રની સિદ્ધિ થવાથી સિદ્ધ થાય છે. “નમસ્કાર, જમના ધ્યાન દ્વારા અભેદ-પ્રણિધાન સિદ્ધ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા “ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં બનાવી છે, જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા ત્યાંથી સમજી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy