SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ] ध्यानविचार-सविवेचन માત્રાવાળી કલા(કુંડલિની), નાદ, બિંદુ અને લય-ગ વગેરેની પ્રક્રિયા બતાવી છે. * આ ઉપરથી “કલા” અને “પરમકલા’, ‘લય અને “પરમલયે ધ્યાન પણ મંત્રાધિરાજ-નવકારમાં અંતભૂત છે – એમ સમજી શકાય છે. (૧૧) તારા–પરમતારા - કાર્યોત્સર્ગ–મુદ્રા'માં નિશ્ચલ-દષ્ટિએ થતું નમસ્કારનું ધ્યાન – એ “તારા ધ્યાનમાં છે અને બારમી પ્રતિમા'માં રાત્રિભર નિર્નિમેષ દૃષ્ટિપૂર્વક નમસ્કારનું ધ્યાન – એ “પરમતારા ધ્યાન” કહેવાય છે. આ રીતે “તારા” અને “પરમ-તારા ધ્યાન પણ “નમસ્કાર–ધ્યાનમાં સમાવિષ્ટ છે. નવકારના અક્ષરોનું એકાગ્રતાપૂર્વક–અનિમેષદષ્ટિએ અવલોકન કરવું – એ “તારા ધ્યાનની પૂર્વભૂમિકાના અભ્યાસરૂપે જરૂરી છે. (૧૨) લવ-પરમલવ – નવકારમંત્રના ધ્યાનથી પાપ-અશુભ કર્મ-પ્રકૃતિઓને નાશ થાય છે, તેથી “લવ ધ્યાન” તેમાં અંતર્ગત છે, તેમજ નમસ્કારના પ્રભાવે અનુક્રમે ઉપશમ–શ્રેણિ અને ક્ષપશ્રેણિ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી “પરમવ ધ્યાન પણ તેમાં સમાયેલું છે. (૧૩) માત્રા–પરમમાત્રા :–“નમસ્કાર-ચકની ધ્યાન-વિધિમાં સમવસરણ-સ્થિત વર્ધમાનસ્વામીના ધ્યાનનું વિધાન છે, તે “માત્રા ધ્યાન’નું સૂચક છે.* કહ્યું છે કે : યાતાએ – ત્રણ ગઢથી કુરાયમાન પ્રકાશવાળા સમવસરણની મધ્યમાં બિરાજમાન, ચોસઠ ઈદ્રોથી જેઓશ્રીના ચરણકમળ પૂજાય છે એવા અને ત્રણ છત્રો, પુષ્પવૃષ્ટિ, સિંહાસન, ચામર, અશોકવૃક્ષ, દુંદુભિ, દિવ્યધ્વનિ અને ભામંડળ–એમ આઠ પ્રાતિહાર્યોથી અલંકૃત, સિંહના લાંછનવાળા, સુવર્ણ જેવી કાન્તિવાળા – વર્ધમાન જિનેશ્વરદેવને હદયમાં સાક્ષાત્ જેવા જોઈએ. આટલું કર્યા પછી સાધકે તેઓશ્રીની અંદર પિતાનાં મંત્ર અને મનને પરોવી દઈને નવકાર–મંત્રને એક સે આઠ વાર જાપ કરો. આ આરાધના, આરાધકને “માત્રા ધ્યાન” સુગમ બનાવી અને પરમ માત્રા ધ્યાનને લાયક બનાવે છે, તેથી માત્રા ધ્યાન” અને “પરમ માત્રા ધ્યાન પણ નવકારમાં સમાયેલાં છે. “પરમમાત્રા ધ્યાનમાં બતાવેલાં વીસે વલમાં મુખ્યત્વે શ્રીઅરિહંત પરમાત્માનું તેઓશ્રીની આજ્ઞા, તીર્થ, ચતુર્વિધ શ્રીસંઘ, સમ્યગ્ર દષ્ટિ દેવ-દેવીઓ આદિ પરિવાર * एतदेव समाश्रित्य कला ह्यर्धचतुर्थिका।। नाद-बिन्दु-लयाश्चेति कीर्तिताः परवादिभिः ॥२॥ નમસ્કાર–સ્વાધ્યાય (સંસ્કૃત–વિભાગ, પૃ. ૨૪) - ૪૪ઘુત્તમન્નાર-ચક્ર-સ્તોત્ર; &ો. ૨૦૬ થી ૧૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy